મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશનના નામને લઈને રાજકારણ ગરમાયું છે. અહીં ભાજપના સાંસદ ભરત સિંહ કુશવાહાએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે ગ્વાલિયર રેલ્વે સ્ટેશનનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ ઉઠાવી છે. બીજેપી સાંસદની આ માંગ બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો પણ આગળ આવ્યા છે. ત્યારે ગ્વાલિયર રેલવે સ્ટેશનના નામને લઈને ભારતીય જનતા પાર્ટી બે જૂથોમાં જોવા મળી રહી છે.
જ્યારે દેશમાં રેલવેનો ઉદય થઈ રહ્યો હતો. ત્યારે તત્કાલીન સિંધિયા રાજ્યના સમયે મહારાજા જયાજીરાવ શિંદેએ 1878માં ગ્વાલિયર રેલવે સ્ટેશનનું નિર્માણ કરાવ્યું હતું. સિંધિયા રાજવી પરિવારનો ગ્વાલિયર રેલવે સ્ટેશન સાથે જૂનો સંબંધ છે. પરંતુ ગ્વાલિયરના સાંસદ ભરત સિંહ કુશવાહાએ આ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ કરીને રેલવે સ્ટેશનના નામકરણ પર ચર્ચા શરૂ કરી છે.
ગ્વાલિયર રેલવે સ્ટેશનના નામે રાજકારણ
ગ્વાલિયરના સાંસદ ભરત સિંહ કુશવાહાએ આ મુદ્દે દિલ્હી જઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર આપીને ગ્વાલિયર રેલવે સ્ટેશનનું નામ બદલવાની માંગ કરી છે. ગ્વાલિયર રેલવે સ્ટેશનનું નામ બદલવાની સાંસદની માંગ બાદ સિંધિયા રાજ પરિવારના નજીકના અને ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય રમેશ અગ્રવાલનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે.
તેમણે ગ્વાલિયર રેલવે સ્ટેશનનું નામ માધવરાવ સિંધિયાના નામ પર રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે રેલવે સ્ટેશનનું નામ કૈલાશ નિવાસી માધવ રાવ સિંધિયાના નામ પર રાખવું જોઈએ.
નામને લઈને રાજકારણ ગરમાયું
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવ રાવ સિંધિયાએ રેલ્વે મંત્રી રહીને રેલ્વે સ્ટેશનના વિકાસ સહિત વિસ્તારના અનેક વિકાસ કાર્યો શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અટલ બિહારી વાજપેયી પણ જાણીતા મોટા નેતા રહી ચૂક્યા છે. પરંતુ ગ્વાલિયર રેલ્વે સ્ટેશનનું નામ બદલવાને લઈને જે રીતે રાજનીતિ કરવામાં આવી રહી છે તેનાથી ભાજપમાં જૂથવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ત્યારે રેલવે સ્ટેશનનું નામ બદલવાનો મુદ્દો બીજેપી સાંસદ ભરત સિંહ કુશવાહ, વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા બની ગયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેના કારણે ગ્વાલિયરનો વિકાસ અવરોધાઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech