જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત સિહર પોલીસે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સિહોર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસે વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ અભિયાનના ભાગરૂપે સિહોરમાં ફરી સમી સાંજથી મોડી રાત સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલીતાણા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ઉઢજઙ) મિહિર બારૈયાના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તપાસ કરી હતી.
આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech