અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાસી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા 28 વર્ષના પ્રહલાદ બાવળિયાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે ધૂળેટીએ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ હતો ત્યારે જ પોલીસ જવાન દ્વારા આત્મહત્યા કરી લેવાની આવી ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં જ પ્રહલાદના ઘરે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે ઘટનાસ્થળેથી હજુ કોઈ સ્યુસાઇડ નોટ જેવું મળ્યું નથી એટલા માટે કયા કારણોસર આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.
પ્રાપ્ત વિગત મુજબ, પ્રહલાદ બાવળિયા કોન્સ્ટેબલ તરીકે ગઢડા પોલીસમાં ફરજ બજાવતો હતો. આ મામલે ગઢડા પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે પ્રહલાદ છસીયાણા ધંધૂકાના રહેવાસી હતા. તે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રહલાદે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. હાલમાં તેમનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગ્રીન કાર્ડ કોઈપણને અમેરિકામાં કાયમી રહેવાની ગેરંટી આપતું નથી: જેડી વેન્સ
March 15, 2025 02:30 PMભારતે આર્મ્સ એજન્ટ ભંડારીના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં અપીલ દાખલ કરી
March 15, 2025 02:28 PMજામનગર: મોરકંડા ગામે યુવકની હત્યામાં સામેલ શખ્સો પકડાયા
March 15, 2025 02:10 PMજોડિયાના લીંબૂડા ગામમાં 200 વર્ષથી ગ્રામ સંસદ ભરાઈ છે...જાણો કેવી હોય છે કામગીરી
March 15, 2025 01:47 PMકાલાવડ પાસે કપાસ ભરીને જતો ટ્રક હાઈવોલ્ટેજ તારને અડકી જતા એક વ્યક્તિનું કરુણ મોત
March 15, 2025 01:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech