હાઈવે પર થતા અકસ્માતો અને તેમાં બ્રેઈન ઈંજરી જેવા કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી શકે તે માટે રાજ્ય સરકારે મહુવા રાજુલા દ્વારકા રાપર ધ્રોલ અને તારાપુર ખાતે ટ્રોમા સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી અને આ માટે તારીખ 6 ફેબ્રુઆરી 2024 ના રોજ રૂપિયા 11 કરોડ 61 લાખ આરોગ્ય વિભાગને ફાળવી પણ દીધા છે. પરંતુ હજુ સુધી આવું એક પણ ટ્રોમા સેન્ટર ક્યાંય પણ શરૂ થયું નથી અને ક્યારે શરૂ થશે તે કહી શકવાની સ્થિતિમાં કોઈ નથી.
સરકારે આ સમગ્ર પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપીને આરોગ્ય વિભાગને નાણાં ફાળવી દીધા છે અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વહીવટી મંજૂરી અન્વયે સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણવામાં આવશે. સરકારે નાણાં મંજૂર કર્યાને સવા વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને હવે બાકીના પોણા બે વર્ષમાં જો આ યોજના માટે આરોગ્ય વિભાગ આગળ નહીં વધે તો એક મહત્વની યોજના ફાઇલમાં જ રૂંધાઈ જશે.
રાજ્યમાં નવા સાત ટ્રોમા સેન્ટર માટે જે સાધનોની ખરીદી કરવાની થાય છે તે બાબતે અધિક નિયામક તબીબી સેવાઓ ગાંધીનગર દ્વારા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ (જીએમએસસીએલ) ને વિગતવાર ઇન્ડેન્ટ મોકલી દેવામાં આવ્યું છે અને જીએમએસસીએલને રૂપિયા 964 લાખની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી આમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. સરકાર દ્વારા મંજૂર કરાયેલા ટ્રોમા સેન્ટરો માટે ફક્ત તબીબી સાધનોની મંજૂરી આપવામાં આવી છે, માનવ સંસાધન અને જરૂરી ઇનફાસ્ટ્રક્ચર માટે હોસ્પિટલની હયાત સુવિધાઓનો જ ઉપયોગ કરવાનો હોવા છતાં હજુ સુધી સાધન ખરીદીની પ્રક્રિયા પૂરી થઈ નથી.
સરકારની વર્તમાન પોલિસી મુજબ ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ (જેમ) પોર્ટલ મારફત કરવાની હોય છે. પરંતુ જે વસ્તુઓ આ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુઓની ખરીદી ઉદ્યોગ અને ખાણ વિભાગના તારીખ એક નવેમ્બર ઓક્ટોબર 2018 ના ઠરાવ મુજબ કરવાની થાય છે.
અધિક નિયામક તબીબી સેવાઓ વિભાગના સૂત્રો જણાવે છે કે અમે તો સાધન ખરીદી માટે 2024 ના જુલાઈ મહિનામાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડને વિગતવાર માગણી પત્રક ઈન્ડેન્ટના નિયત નમૂનામાં બે નકલમાં મોકલી આપી છે પરંતુ હજુ ખરીદીની પ્રક્રિયા થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech