અમરેલીના ઘાંચીવાડમાં રહેતા અને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર નુરી પેટ્રોલ પપં ધરાવતા દિવ્યાંગ રહીમભાઈ જમાલભાઈ રાધનપરા (ઉ.વ.૫૯) નામના પ્રૌઢે પંપમાં જ દશેક વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા લાઠીના ફૈઝ, સાબરીન ચોકમાં રહેતા ગુલામએહમદ દિલારભાઈ જાખરા સામે લાઠી પોલીસ મથકમાં અડધા કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, હત્પં દિવ્યાંગ હોવાથી પંપનું સંચાલન કાકાનો દીકરો યાસીન કરતો હતો. દોઢેક વર્ષ પહેલા મારા કાકા રજાકભાઈને બ્રેઈન સ્ટોક આવતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવા આવ્યા હતા લાંબો સમય સુધી રાજકોટ સારવારમાં હોવાથી પેટ્રોલ પંપએ યાસીન જઈ શકતો નહતો. આથી મેનેજર તરીકે નોકરી કરતો ગુલામએહમદએ ઇન્ડિયન ઓઇલ કંપનીમાંથી ખરીદીના ઓર્ડર, બેન્કના વહીવટ સહિતના ડોકયુમેન્ટમાં સહીઓ કરાવી જતો હતો. અમારા પેટ્રોલ પંપનું બેંક ચાવડં ખાતે બેંકમાં છે, જેમાં વેચાણના .૫ લાખ ભરવા માટે ગુલામએહમદને આપ્યા હતા પરંતુ આ પૈસા ન ભરી બેંક જેવો બનાવતી મેસેજ મને મોકલી દીધો હતો. ભત્રીજા યાસીનએ બેંકમાં તપાસ કરતા આ રકમ જમા કરવામાં આવી નહોવાનું સામે આવતા ગુલામને આ બાબતે પૂછતાં પોતે તા.૨૯–૮ના રકમ ભરી દીધી હોવાનું જણાવ્યું હતું. અમને શંકા જતા બીજા બેંક એકાઉન્ટની પણ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગુલામ અહેમદે પેટ્રોલ પંપન નામે બજાજ ફાઇનાન્સમાંથી જાતે ડોકયુમેન્ટમાં ખોટી સહીઓ કરીને ૧૬.૧૪ લાખની લોન મેળવી હતી. જેમાંથી કેટલાક હા ભરી બાકીના ૧૧.૬૩ લાખ વ્યાજ સાથેની લોન ભરી નહતી.
આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં તા.૧૮–૧ના ખોટું એફિડેવિટ તૈયાર કરી ખોટી સહી કરી ઇન્ડિયન ઓઇલ કોર્પેારેશનમાંથી અલગ અલગ સમયે પર્ચેઝ ઓર્ડર કઢાવી .૨૪ લાખનો પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્રેડિટમાં મેળવી વેંચાણ કરી નાખ્યું હતું. આ ઉપરાંત લાઠી આઇઆઇએફએલ ફાયનાન્સમાંથી ખોટી સહીઓ સાથેનો ચેક આપી .૯.૫૦ લાખની લોન મેળવી લીધી હતી. તેમજ ચાવડં ખાતે બેંક ઓફ બરોડામાં . પાંચ લાખ જે ભરવા આપ્યા હતા એ પૈસા અમરેલી આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી પોતાની પત્ની નઝમાબેનના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.આમ કુલ ૪૯,૧૩,૭૪૫ .ની જુદી જુદી રીતે છેતરપીંડી કરી હતી. પોલીસે શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMરાજકોટ ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 19, 2025 11:36 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech