NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં NEETનું પરિણામ રદ્દ જાહેર કરીને ફરીથી પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિના આરોપોની SIT તપાસ કરાવવામાં આવે અને 4 જૂન, 2024ના રોજ પરિણામ પર આધારિત કાઉન્સેલિંગ બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. NEET પરીક્ષાને લઈને આ અરજી તેલંગાણાના અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ દ્વારા દાખલ કરવામાં આવી છે.
NEET 2024ની પરીક્ષામાં 23 લાખ 33 હજાર લોકોએ પરિક્ષા આપી હતી.. NEET પરીક્ષાનું પરિણામ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે 4 જૂને જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 67 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે 720માંથી પુરા 720 માર્ક્સ મેળવ્યા. જેઓ હરિયાણાના ઝજ્જર સાથે જોડાયેલા સમાન કેન્દ્રના છે. જોકે NEETનું પરિણામ 14મી જૂને જાહેર થવાનું હતું પરંતુ પરિણામ 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવ્યા હતા.
અરજીમાં શું છે માંગ?
NEET પરીક્ષાનું પરિણામ પ્રશ્નના ઘેરામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓએ NEETનું પરિણામ રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં SIT તપાસની અને કાઉન્સેલિંગને રોકવાની માંગણી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે NEETની પરીક્ષા ફરીથી લેવામાં આવે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોદીએ નવા કાર્યકાળ માટે શપથ લીધા તે પહેલાં જ, પરીક્ષામાં અનિયમિતતાઓને કારણે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. રાહુલ ગાંધીએ દેશના વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ સંસદમાં તેમનો અવાજ બનશે અને તેમના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવશે.
ચાર સભ્યોની સમિતિની રચના
અગાઉ શનિવારે NEET-UG માં વધતા માર્કસના આરોપો વચ્ચે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલયે ગ્રેસ માર્ક્સ મેળવનારા 1,500 થી વધુ ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં UPI સેવા ઠપ્પ, ફોનપે, ગુગલ પે અને પેટીએમમાં લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
April 12, 2025 01:19 PMખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ
April 12, 2025 01:17 PMજામનગરમાં ગાય સાથે જધન્ય કૃત્ય કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
April 12, 2025 12:53 PMજોડિયા: "રામવાડી" માં હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી
April 12, 2025 12:48 PMસેવક દેવળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
April 12, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech