રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ અને ન્યારી-૧ ડેમ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જળાશયો માટે સૌની યોજનાનું નર્મદાનીર છોડવા સરકાર દ્વારા મંજૂરી અપાઇ છે, સૌરાષ્ટ્ર માટે કુલ ૧૬,૧૫૦ એમસીએફટી નર્મદાનીર અપાશે.
સૌરાષ્ટ્રમાં ધોમધખતા તાપમાં પણ પીવાના પાણી તેમજ સિંચાઈ માટે તમામને પૂરતું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદવહન પાઈપલાઈનો મારફત સૌરાષ્ટ્ર વિસ્તાર તથા ઉત્તર ગુજરાત વિસ્તાર માટે પીવાના તથા પૂરક સિંચાઈના હેતુસર કુલ ૩૦૬૮૯ એમસીએફટી (૮૬૯.૦૨ એમસીએમ/૦.૭૦ એમએએફ) નર્મદાના પાણીના જથ્થાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર વિસ્તારને-સૌની યોજના અંતર્ગત પીવાના પાણી માટે ૩૧૨૦ એમસીએફટી તથા સિંચાઈ માટે ૧૩૦૩૦ એમસીએફટી એમ કુલ ૧૬૧૫૦ એમ.સી.એફ.ટી.( ૪૫૭.૩૨ એમ.સી.એમ./૦.૩૭ એમ.એ.એફ.) પાણીનો જથ્થો નર્મદામાંથી આપવામાં આવશે આમ, સરકાર દ્વારા મા નર્મદાના નીરથી ઉનાળામાં પણ લોકોને ઘર-ઘર સુધી પૂરતું પાણી પહોંચાડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech