દર મહિને મીનીમમ મળતાં રૂા. 1000 ને બદલે રૂા. 7500 કરવા માંગણી
ઈ.પી.એફ. પેન્શન -૧૯૯૫ વોજના અંતર્ગત પેન્શન મેળવતા પેન્શનરોને હાલ મીનીમમ રૂ. ૧૦00/- મર્યાદામાં પેન્શન ચુકવવામાં આવે છે. જે પેન્શન વધારો કરવા માટે નામદાર કેરેલા હાઈકોર્ટ ધ્વાશ રૂા.૭૫૦૦/- તેની ઉપર મેડીકલ અને મોંધવારી સહિતનું મીનીમમ પેન્શન આપવું. પરંતુ ભારત સરકાર ધ્વારા આ બાબતનું મંજુર રાખેલ નથી, જેથી નેશનલ એજીટેશન કમિટિ ધ્વારા સમગ્ર ભારતમાં માન. કર્નલ અશોક રાઉટજી ધ્વારા આદોલન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજ રોજ તા. ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભારતની તમામ ઈ.પી.એફ. ઓફિસ ખાતે આવેદન પત્ર આપવાનું નકકી કરેલ. તેના ભાગરૂપે જામનગરમાં પણ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
ઈ.પી.એફ. પેન્શન-૧૯૯૫ માં મળતા પેન્શનમાં વધારો મેળવવા અંગે આવેદન પત્ર આસી. પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરશ્રી, જામનગર મારફત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા અધ્યક્ષ કેન્દ્રીય ન્યાસી બોર્ડ (ઈપીએફઓ) ડો. મનશુખ માંડવીયાજીને આપવાનો આજ રોજ કાર્યક્રમ રાખેલ જેમાં મજુર મહાજન સંઘ,જામનગરના જનરલ સેક્રેટરીશ્રી, પંકજભાઈ જોશી તેમજ અશોકભાઈ મહેતા, દિપકભાઈ ત્રિવેદી તથા અન્ય જી.ઈ.બી. નિવૃત કર્મચારી મંડળ, શ્રી નરશીભાઈ દાઉદીયા તથા અન્ય એસ.ટી. નિવૃત કર્મચારી મંડળ, વિજયસિંહ જાડેજા, તથા અન્ય દિગ્વીજય સીમેન્ટ કંપની, તેમજ જુદી-જુદી કો.ઓપ. બેંક, ડેરી ઉદ્યોગ, બોમ્બે ડાઈન મીલ, દિન્જામ લી., એફ.સી.આઈ.મીઠા ઉદ્યોગના નિવૃત કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.
આ આવેદન પત્ર સ્વીકારતા આસી. પ્રોવીડન્ટ ફંડ કમિશ્નર અંશલકુમારજી ધ્વારા આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત મોકલવા ખાત્રી ઉચ્ચારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech