પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશનું વાતાવરણ છે. દરમિયાન, બંગાળ પોલીસે ગુરુવારે 24 પરગણામાં હિન્દુ સંગઠન સનાતની એકતા મંચ સાથે સંકળાયેલા બે લોકોની ટ્રેનના શૌચાલયમાં પાકિસ્તાની ધ્વજ બનાવવા બદલ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા ઉત્તર 24 પરગણા જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માંગતા હતા.
એક અહેવાલ મુજબ, સ્થાનિક પોલીસે ઘટના વિશે વાત કરતા કહ્યું કે, "બંનેએ સાથે મળીને સેલ્ડાહ-બોનગાંવ સેક્શનમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલા શૌચાલયમાં પાકિસ્તાની ધ્વજ બનાવ્યો હતો. તેમનો ઈરાદો ત્યાં પાકિસ્તાન ઝિંદાબાદ અને હિન્દુસ્તાન મુર્દાબાદ લખવાનો પણ હતો, જેથી વિસ્તારમાં સાંપ્રદાયિક લાગણીઓ ભડકી શકે.
સ્થાનિક પોલીસ અધિકારી દિનેશ કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓ સ્થાનિક રહેવાસી છે અને તેમની ઓળખ ચંદન માલા કર અને પ્રયોગ જીત મંડલ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે બંને લોકોએ તેમના પરના આરોપો સ્વીકારી લીધા છે. જોકે, વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને સનાતન એકતા મંચના સભ્ય અશોક કીર્તનિયાએ પોલીસ પર બંને માણસોને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો.
રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સભ્ય બિશ્વજીત દાસે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે યોગ્ય કાર્ય કર્યું છે અને બધું કાયદાના દાયરામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech