પાકિસ્તાને ગુજરાત તરફ મિસાઇલો, 600 ડ્રોન છોડ્યા હતા

  • May 31, 2025 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઓપરેશન સિંદૂર પછી હતાહત થયેલા પાકિસ્તાને ગુજરાત સરહદ પર ટેન્ક અને ભારે તોપખાના તૈનાત કર્યા. એટલું જ નહીં, તેણે ભારતના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવતા મિસાઇલો અને 600 થી વધુ ડ્રોન પણ છોડ્યા હોવાનો ખુલાસો બીએસએફના વરિષ્ઠ અધિકારીએ કર્યો છે.

જો કે ભારતીય સેનાની સતર્કતા અને તાકાતના પગલે લશ્કરી સ્થાપનો, સૈનિકો અથવા નાગરિકોને કોઈ નુકસાન થઈ શક્યું નહીં અને પડોશી દેશ દ્વારા કરવામાં આવેલા દરેક હુમલાને ભારતીય દળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે જણાવ્યું હતું કે પાકિસ્તાને સરહદ પર ટેન્ક અને ભારે તોપખાના પણ તૈનાત કર્યા છે. તેમણે કહ્યું, 'આગલી વખતે અમારા પ્રતિભાવને સુધારવા માટે બધું જ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

બીએસએફ રાજસ્થાનના બાડમેરથી ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ભારત-પાકિસ્તાન સરહદનું રક્ષણ કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફ ની ભૂમિકા અંગે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદમાં પાઠકે કહ્યું, 'પાકિસ્તાન દ્વારા રાજસ્થાનથી કચ્છ સુધી અમારી સરહદ તરફ મોકલવામાં આવેલા લગભગ 600 ડ્રોનમાંથી લગભગ 40 ટકા (200 ડ્રોન) ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જોકે, અમે સેના અને ભારતીય વાયુસેનાની મદદથી આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. અમારા દળો કે સામાન્ય લોકોને કોઈ નુકસાન થયું નથી. આમાંથી કેટલાક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનની સરહદ અને પીઓકેમાં પ્રવેશ કરીને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઓપરેશનમાં આતંકવાદીઓ, તેમના સહયોગીઓ અને પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓ સહિત 160 થી વધુ લોકો માર્યા ગયા.ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુરના 20 થી વધુ લોકો માર્યા ગયા. બહાવલપુરમાં માર્યા ગયેલા ઘણા લોકો જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના સંબંધીઓ હોવાનું કહેવાય છે. પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે, એવો અંદાજ છે કે 35 થી 40 લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા છે. જોકે, પાકિસ્તાને સત્તાવાર રીતે ફક્ત 11 સૈનિકોના મૃત્યુ અને 78 ઘાયલ થયાનું સ્વીકાર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application