ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી. બાદમાં વેરાવળથી સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું
દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે. આ ઉપરાંત આણંદ, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂ. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યાય પ્રક્રિયાને સુલભ અને કાર્યક્ષમ બનાવવા નવતર પહેલ
June 03, 2025 10:30 AMસંસદના વિશેષ સત્રની માગણી સાથે ૨૦૦ સાંસદો લખશે પત્ર
June 03, 2025 10:27 AMગુજરાત સરકાર શહેરી હરિયાળી જગ્યાઓ, જળાશયોના સંરક્ષણ માટે કાયદો બનાવશે
June 03, 2025 10:26 AMઈલોન મસ્કનો નવો દાવ: શક્તિશાળી ફીચર એક્સચેટ લોન્ચ
June 03, 2025 10:22 AMવર્ષ 2300માં વિશ્વમાં 10 કરોડની વસ્તી જ હશે
June 03, 2025 10:21 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech