ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભૂજની મુલાકાત બાદ આજે વડાપ્રધાને પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે એ પહેલા પીએમ મોદીનો રોડ-શો યોજાયો હતો. જેમાં વડાપ્રધાને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મહાત્મા મંદિર ખાતે મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, શપથ લો કે વિદેશી વસ્તુઓ નહીં વાપરો.
પીએમ મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા અને તાત્કાલિક અર્થતંત્રને ચોથા નંબરથી ત્રીજા નંબર પર લઈ જવા માટે, આપણે હવે કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કરીશું નહીં. આપણે દરેક ગામના વેપારીઓને શપથ લેવડાવવા પડશે કે તેઓ વિદેશી માલમાંથી ગમે તેટલો નફો કરે, તેઓ કોઈપણ વિદેશી ઉત્પાદન વેચશે નહીં. તેમણે કહ્યું કે આજે નાની આંખોવાળા ગણેશજી પણ વિદેશથી આવે છે, ગણેશજીની આંખો પણ ખુલતી નથી. હોળી માટે રંગો અને વોટર ગન પણ વિદેશથી આવી રહ્યા છે. અહીં પીએમ મોદી સીધા ચીનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના ઉત્પાદનો તહેવારો દરમિયાન ભારતીય બજારોમાં મોટી સંખ્યામાં વેચાય છે.
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલની ઇચ્છા હતી કે પીઓકે પાછું ન મળે ત્યાં સુધી સેના રોકાવી ન જોઇએ પણ સરદાર પટેલની વાત માનવામાં ન આવી. એ લોકો લોહી ચાખી ગયા અને આ સીલસીલો 75 વર્ષ ચાલ્યો. પહેલગામમાં થયેલો હુમલો એનું જ કારણ હતું. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધની ઘડી આવી ત્યારે ત્રણેયવાર ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાને ધુળ ચટાડી છે.
પીએમ મોદીએ સંબોધન પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું બે દિવસથી ગુજરાતમાં છું, જ્યા જાવ ત્યાં દેશભક્તિનો જુવાળ, ગર્જના કરતો સિંદૂરીયો સાગર અને લહેરાતો તિરંગો જનમનના હૃદયમાં વસી ગયો છે. 1947માં પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરમાં થયો હતો, જો એ દિવસે આ મુજાહિદ્દીનનો નાશ કરવામાં આવ્યો હોત તો આ દિવસો જોવા ન પડત.
પાકિસ્તાન આતંકવાદીઓને ભારત મોકલે છે અને નિર્દોષ લોકો એનો ભોગ બને છે. અને આપણે સહન કરતા રહીએ છીએ. તમે કહો હવે આપડે સહન કરવું જોઇએ? હવે, ગોળીનો જવાબ ગોળાથી આપવો પડશે. આ કાંટાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવો જોઇએ. આપણે આપણા પાડોશીનું સુખ ઇચ્છીએ છીએ પણ વારંવાર આપણા સામર્થ્યને લલકારવામાં આવે ત્યારે જવાબ આપવો પડે કે આ દેશ વિરોની ધરતી છે.
વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આતંકવાદના નવ અડ્ડા નક્કી કરીને માત્ર 22 મિનિટમાં ધ્વસ્ત કરવામાં આવે ત્યારે દેશની શક્તિ દેખાય છે. આ વખતે કેમરા સામે કર્યું છે એટલે ઘરમાં જ કોઈ સાબીતી ન માંગે. પાકિસ્તાન સમજી ગયું કે લડાઈમાં જીતી નહીં શકીએ એટલે તેણે પ્રોક્સી વોર ચાલુ કર્યું અને આતંકીઓને મોકલવાનું શરૂ કર્યું અને આપણે સહન કરતા રહ્યા આને પ્રોક્સી વોર ન કહેવાય કારણ કે આતંકવાલીઓના જનાજા નીકળ્યા એ જનાજાને પાકિસ્તાને માન આપ્યું, એના દેશના ઝંડા વગાવ્યા અને એની સેનાએ આતંકીઓને સલામી આપી. એટલે એ નક્કી થાય છે કે, પ્રોક્સી વોર ન કહેવાય. એટલે એમને જવાબ આપવો જરૂરી છે.
મોદીએ આગળ ઉમેર્યું હતું કે, આપણે કોરોના સામે લડાઈ લડી, પડોશીઓની મુશ્કેલી સહન કરી છતાં આપણી અર્થવ્યવસ્થા 4 નંબર પર પહોંચી ગઈ છે. હું ગુજરાતનો ઋણી છું, અહીંની માટીએ મને મોટો કર્યો છે, જે મંત્ર તમે મને આપ્યો જે દેશવાસીઓને મદદરૂપ થાય તે માટે કોશિશ કરી રહ્યો છું. અમારુ લક્ષ્ય છે 2047, આઝાદીનું વર્ષ અમે એટલું શાનદાર રીતે ઉજવીશું કે આખી દુનિયામાં વિકસિત ભારતનો ઝંડો લહેરાશે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ જો સંકલ્પ ન કર્યો હતો તો વર્ષ 1947માં પણ આપણને આઝાદી ન મળી હોત. હવે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે. વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે ત્યારે ગુજરાત ક્યાં પહોંચશે એ જોજો. ગુજરાત 75 વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઇચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય. કાલે 26 મે હતી, 2014માં 26 મેના રોજ મેં પહેલીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે ભારતની ઇકોનોમી 11મા નંબરે હતી, આપણે કોરોનાથી લડાઇ લડી, પાડોશીઓથી મુસીબતો વેઠી છતાં પણ આટલા ઓછા સમયમાં આપણે 11 નંબરની ઇકોનોમીથી 04 નંબર પર આવી ગયા.
વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવવાનો છે
હવે દેશ વાટ નહીં જોવે, જો કોઇ વાટ જોવાનું કહે તો પાછળથી અવાજ આવે કે 'મોદી હૈ તો મુમકિન હૈ' એટલા માટે મિત્રો આપણું લક્ષ્ય એક જ છે કે દેશ વિકસીત હોવો જ જોઇએ. એમાં કોઇ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે, વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવવાનો છે તેવું મોદીએ જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા: મોદી
જ્યારે ગિફ્ટ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા કે, આવડી મોટી બિલ્ડિંગો થોડી બને પણ આપણે કરીને બતાવ્યું. હવે દેશનું દરેક રાજ્ય કહે છે કે, અમારે પણ એક ગિફ્ટ સિટી જોઇએ છે. એટલે આપણે નિર્ધાર કરીને જીત મેળવાની છે તેવું મોદીએ જણાવ્યું હતું.
ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્ય બળથી થયો હવે જનબળથી આગળ વધશે: પીએમ
મોદીએ કહ્યું કે, 6 મેની રાત, ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્ય બળથી થયો હતો પણ હવે જનબળથી આગળ વધશે. દરેક માણસ દેશના વિકાસ માટે ભાગીદાર બને. દેશની ઇકોનોમીને 03 નંબર લાવવા આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવું છે. 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે દેશને એક અલગ ઉંચાઇએ લઇ જવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech