રાજકોટ શહેરની જૂની કલેકટર કચેરી ખાતે દલાલો, વચેટીયાઓ, એજન્ટો અને ટાઉટ લોબીનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ જ સામાન્ય રીતે અરજદાર જાતે પણ કરી શકે તેવા કામો માટે અરજદારો પાસેથી પૈસા પડાવીને અરજદારો વતી કામ કરતા આવા દલાલો માટે કચેરીમાં પ્રવેશબંધીનું ફરમાન લાગુ કરવામાં આવ્યુ છે.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જૂની કલેકટર કચેરીમાં અમુક વચેટીયાઓ 24 કલાક પડ્યા પાથયર્િ રહેતા હોય અને કચેરીમાં કામકાજ માટે આવતા અરજદારો તંત્ર સુધી પહોંચે તે પહેલા વચ્ચેથી જ તેમને આંતરી લઇને લાવો તમારું કામ કરાવી દઉં તેમ કહીને પૈસા પડાવતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી જેના અનુસંધાને હવે જૂની કલેકટર કચેરીના બંને દરવાજા ઉપર કુલ ચાર સિક્યુરિટી ગાર્ડ મૂકવા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સિક્યુરિટી ગાર્ડ મારફતે કચેરીમાં કામકાજ વિના આવતા તત્વોને પ્રવેશબંધી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ મામલે લગાતાર રજૂઆતો મળી રહી હોય અંતે આ સમસ્યા નિવારવા માટે તંત્રએ આવો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
જૂની કલેકટર કચેરીના એન્ટ્રી અને એક્ઝિટ તેમ બંને દરવાજે બબ્બે સિક્યુરિટી ગાર્ડને ડ્યુટી ફાળવવામાં આવશે.
તદ ઉપરાંત જરૂર જણાય એ વધારાના સિક્યુરિટી ગાર્ડ મુકવાનું આયોજન પણ વિચારધિન છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMગુજરાતના ૧૩ લાખ ખેડૂતોને મળશે સીધો લાભ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
April 09, 2025 03:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech