ખંભાળિયામાં જામનગર માર્ગ ઉપર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 28 મી ના રોજ સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ કિસુમુ (કેન્યા) નિવાસી શાંતાબેન વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી (હ. જયંતભાઈ વિઠ્ઠલદાસ બદીયાણી) ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ નેત્રયજ્ઞમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના ડોક્ટરો તથા ટેકનિશીયનો તેઓની સેવાઓ આપશે. જરૂરિયાત મુજબ દર્દીઓને વિના મૂલ્યે હોસ્પિટલ ખાતે આંખનું ઓપરેશન કરી, નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.
આ સાથે સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં જાણીતા તબીબ ડોક્ટર નિલેશભાઈ રાયઠઠ્ઠા તેમની સેવાઓ આપશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech