ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળની આવક વધી રહી છે જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. એક તરફ યાર્ડમાં આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને પોષાય એવા ભાવ મળતા નથી જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના અંદાજે ૧.૨૦ લાખ કટ્ટાની આવક થઈ હતી અને મગફળીની ૮૦ હજાર ગુણી આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શ થયેલી હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૦૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૦૦થી ૧૨૦૦ સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર્રભરમાંથી ખેડૂતો સારા ભાવની આશાએ આવતા હોય છે પરંતુ હાલ મોટાભાગનાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. લોધિકાથી આવેલા અશોકભાઈ કોટડીયાએ જણાવ્યું કે, ડુંગળીના ૫ વીઘાનું વાવેતર પાછળ ઓછામા ઓછો લાખથી દોઢ લખનો ખર્ચેા થયો હતો અને હવે મેળવેલ ઉત્પાદનનો ભાવ ફકત અઢી સોથી ત્રણસો બોલાય છે તો એ પોષાય તેમ સરેરાશ ૬૦૦થી ૭૦૦ ભાવ મળે તો પોષાય એમ છે. લોધિકાથી આવેલ અન્ય ખેડૂત રાજેશભાઈએ જણાવ્યું કે એક તરફ વરસાદના કારણે ૫૦ ટકા ઉત્પાદન નિષ્ફળ ગયુ છે ત્યારે સરકાર હવે ડુંગળીમાં સહાય કરે અથવા બહાર નિકાસ કરે તો સારા ભાવ મળે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં વેપારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ડુંગળીની કવોલિટી નબળી આવી છે એટલે ભાવ સારા નથી મળી રહ્યા. યાર્ડમાં આવેલા વેપારી પિયુષભાઈ બાબરીયા એ જણાવ્યું કે, ગતવર્ષ કરતા ડુંગળીની આવક અત્યારે વધારે છે જો કે ગત વર્ષે ડુંગળીના ભાવ ૮૦૦ થી ૯૦૦ સુધીના ભાવ હતા પરંતુ આ વખતે કવોલિટી નબળી હોવાથી ૨૦૦ થી ૭૫૦ સુધીના ભાવ છે. વરસાદના કારણે ખેડૂતોની ૭૦ ટકા ડુંગળી બગડી ગઈ છે ૩૦ ટકા જ સારી રહી છે. આમ, આ વખતે ડુંગળીની આવક તો વધી છે પણ સારા ભાવ ન મળતા ખેડૂતોને સારી આવક એટલે સારા ભાવ મળતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech