રશિયન બનાવટનું સુખોઈ–સુપર જેટ વિમાન તુર્કીના એન્તાલિયા એરપોર્ટના રન–વે પર ઉતયુ કે તુર્ત જ વિમાનમાં એક એન્જિનમાં આગ લાગી હતી. જેનો ભયાવહ વિડીયો જોવા મળે છે. સાગ્યે વિમાનમાં રહેલા તમામ ૮૯ યાત્રિકો અને બે પાયલોટ તથા ૪ સહાયકો મળી છએ છ ક્રૂ મેમ્બર્સ પણ ઉતરી જઈ શકયા હતા અને સર્વે સલામત રહ્યા હતાં. વાસ્તવમાં આ વિમાન ઓવર વર્કડ હોવાથી તેનું એક એન્જિન સળગી ઊઠયું હતું. ત્યાર પછી જોત જોતામાં વિમાન આગમાં લપેટાઈ ગયું હતું.
આ દુર્ઘટના જોતાં વિમાનગૃહમાં અને કંટ્રોલ ટાવર પર રહેલો ગ્રાઉન્ડ સ્ટાફ પણ હેબતાઈ ગયો હતો. પરંતુ યાત્રિકો અને ક્રૂ સહિસલામત બચી ગયા હોવાથી શાંતિનો શ્વાસ લીધો હતો. એઝિમથ–એરલાઇન્સનું આ વિમાન રશિયાના સોચીથી તૂર્કીમાં અન્તાલીયા આવી રહ્યું હતું.
આ દુર્ઘટના અંગે અન્તાલિયાના ગવર્નરની ઓફિસના ડેપ્યુટી સુયાન સેચીતોગ્બુએ કહ્યું હતું કે, આગ લાગી કે તુર્ત જ અિ શામક ફુવારાથી વિમાનને બચાવી લેવાયું હતું. તમામ યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સ અલ્લાહની દયાથી બચી ગયા, તે આનંદની વાત છે તેમ તુર્કી –ટુડે વર્તમાન પત્રે જણાવ્યું હતું.
તુર્કીનાં મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયન બનાવટના એસ.યુ.૯૫ પ્રકારનું આ વિમાન રાત્રે ૨૧.૩૪ કલાકે રન–વેને ટચ થયું ત્યારે પાયલોટે ઇમરજન્સી કોલ કરતાં અિ શામકો સક્રિય કરી દેવાયા હતા. વિમાન રનવે ઉપર ઊભું રહ્યું કે તુર્ત જ આગ ઠારી દેવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech