સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે, એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 આગની ઘટના સામે આવી છે.
માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા એકનું મોત
સુરતની ટેક્સટાઈલ માર્કેટની અંદર આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં ચારથી પાંચ દુકાનોમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો. જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા હતા. ફાયરની ટીમે ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરનાં સાધનો લગાવવામાં આવ્યાં છે પરંતુ તે કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે.
20થી 25 ફાયરની ગાડીઓ કામે લાગી
ફાયરના અધિકારીના જણાવ્યા પ્રમાણે, બેઝમેન્ટની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. આગ લાગી ત્યારે 50થી વધુ લોકો બેઝમેન્ટમાં હતા. દુકાનના માલિકો અને ગ્રાહકો, વેપારીઓ આગ લાગતાની સાથે જ પોતાની રીતે બહાર દોડી આવ્યા હતા. કેટલાકને અમે મદદ કરીને બહાર લઈ આવ્યા હતા. આગ અંદર પ્રસરી ગઈ હતી. જોકે, આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. 20થી 25 જેટલી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગને કાબૂમાં કરવા માટે પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર :108ના કર્મચારીઓની પ્રામાણિકતા....69 હજાર રોકડા અને મોબાઈલ ઇજાગ્રસ્ત દર્દીના સગાએ પરત કર્યા
February 25, 2025 06:31 PMજામનગરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં અદભુત રોશની કરવામાં આવી
February 25, 2025 06:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech