કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' વિવાદોમાં ઘેરાયેલી છે. હવે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને તાત્કાલિક પ્રમાણપત્ર જારી કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જો આમ કરવામાં આવશે તો તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ થશે. કંગના રનૌતની ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી.
18 સપ્ટેમ્બર સુધીમાં વાંધા અંગે નિર્ણય લેવા આદેશ
સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે તે સીબીએફસીને પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપી શકે નહીં, કારણકે મધ્યપ્રદેશ હાઈકોર્ટે જબલપુર શીખ સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓ પર નિર્ણય લેવા માટે સેન્સર બોર્ડને પહેલેથી જ આદેશ આપ્યો છે. શીખ સંગઠને ફિલ્મ અને તેના ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટે સીબીએફસીને જબલપુર શીખ સંગઠન અથવા અન્ય કોઈ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
ઝી એન્ટરટેઈનમેન્ટે અરજી દાખલ કરી હતી
CBFC એ કંગના રનૌતની ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. આ પછી ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. કંપનીએ સેન્સર સર્ટિફિકેટ આપવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ વાતને નકારી કાઢી હતી.
ઝી એન્ટરટેઈનમેન્ટ ઈમરજન્સી ફિલ્મના નિર્માતા છે. અરજીમાં કંપનીએ દાવો કર્યો હતો કે સીબીએફસીએ મનમાની કરીને પ્રમાણપત્ર રોકી રાખ્યું હતું. આ અરજીની સુનાવણી જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech