માહિતી અનુસાર, હવે અંતિમ પરીક્ષા પણ દર વર્ષે ત્રણ વાર લેવામાં આવશે. અંતિમ પરીક્ષાઓ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. આઈસીએઆઈમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને લગભગ ચાર લાખ સભ્યો છે.
સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે તાલમેલ રાખવા અને વિદ્યાર્થીઓને વધુ તકો પૂરી પાડવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) ની 26મી કાઉન્સિલે વર્ષમાં ત્રણ વખત સીએ ફાઇનલ પરીક્ષા લેવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી. ગયા વર્ષે, આઈસીએઆઈ એ વર્ષમાં ત્રણ વખત ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન કોર્સ પરીક્ષાઓ લેવાનો નિર્ણય લીધો હતો અને હવે સીએ ફાઇનલ પરીક્ષાઓ પણ તે જ રીતે લેવામાં આવશે.
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઓડિટ પરીક્ષામાં પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સમાં પણ ફેરફારો જોવા મળશે. આ અભ્યાસક્રમ માટે મૂલ્યાંકન પરીક્ષા જે અગાઉ વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બરમાં લેવામાં આવતી હતી. એ હવે વર્ષમાં ત્રણ વાર - ફેબ્રુઆરી, જૂન અને ઓક્ટોબરમાં લેવામાં આવશે. આઈસીએઆઈએ જણાવ્યું હતું કે સભ્યો માટે સુલભતા અને સુવિધા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આઈસીએઆઈના નિર્ણય વિશે વાત કરતા સંસ્થાના પ્રમુખ સીએ ચરણજોત સિંહ નંદાએ જણાવ્યું હતું કે આ નિર્ણયોથી વિદ્યાર્થીઓ અને સભ્યો બંનેને ઘણો ફાયદો થશે, તેમને સફળતા માટે વધુ સારી તકો મળશે. આ પગલું અમારા ભાવિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ટેકો આપવા અને માર્ગદર્શન આપવાના માર્ગમાં એક નવા યુગની શરૂઆત કરે છે. આઈસીએઆઈ તેના સભ્યો અને વિદ્યાર્થીઓના વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો બંનેને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પૂરતી તકો મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech