જામનગરમાં કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર અને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર માટેનું જાહેરનામું પરત ખેંચાયું
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસાર જિલ્લા કલેકટર કચેરી દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અંગે તથા તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગેનું જાહેરનામું એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે ગત માસમાંં બહાર પાડવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર તરફથી મળેલ તાજેતરના અહેવાલ અનુસાર હવે ઉપરોક્ત જણાવેલ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો નિયંત્રણમાં આવી ગયો છે. તેથી આ જાહેરનામું વધુ સમય માટે અમલમાં રાખવાની જરૂરિયાત ન હોય તે જાહેરનામું પરત લેવા અંગે દરખાસ્ત કરવામાં આવી છે. જે દરખાસ્ત અનુસાર જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉપરોક્ત જણાવેલ વિગતે બહાર પાડવામાં આવેલું જાહેરનામું પરત ખેંચવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech