ભારત જ નહીં, પરંતુ રણનીતિ પણ બદલાઈ છે. CDS અનિલ ચૌહાણે આપ્યું આ નિવેદન

  • May 31, 2025 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર વગર કોઈ યુદ્ધ નથી હોતું, અમે અસરકારક રીતે જવાબ આપ્યો... ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાન પર સીડીએસ અનિલ ચૌહાણે આપ્યો જડબાતોડ જવાબ, પાકિસ્તાનને સાચો અરીસો બતાવીશું. 

જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં યોજાઈ રહેલા શાંગરી-લા ડાયલોગમાં પોતાના સંબોધનમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે 'આપણે હવે ભારત-પાકિસ્તાન સંબંધો અંગે રણનીતિ વિના કામ કરી રહ્યા નથી. જ્યારે આપણે આઝાદી મેળવી ત્યારે પાકિસ્તાન સામાજિક, આર્થિક અને માથાદીઠ જીડીપી, દરેક સ્તરે આપણાથી આગળ હતું. પરંતુ આજે, વધુ વિવિધતા હોવા છતાં, ભારત આર્થિક, માનવ વિકાસ અને સામાજિક સંવાદિતા, તમામ મોરચે આગળ છે. આ કોઈ સંજોગોવસાત બન્યું નથી પરંતુ તે લાંબા ગાળાની વ્યૂહરચનાનું પરિણામ છે.' ભારત-પાકિસ્તાન સંબંધો અંગે તેમણે કહ્યું કે 'રાજદ્વારી રીતે, વર્ષ 2014 માં, અમે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે પહેલ કરી હતી. તે સમયે પીએમ મોદીએ પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તાળી એક હાથે વગાડી શકાતી નથી અને બદલામાં આપણને હંમેશા દુશ્મનાવટ મળતી રહે છે. તેથી, હાલમાં, અલગ થવું એક સારી રણનીતિ હોઈ શકે છે.'

ગ્લોબલ સિક્યુરિટી કોન્ફરન્સમાં તેમને આગળ વાત કરતાં કહ્યું કે પાકિસ્તાન તરફથીથી હમેશા દુશ્મનાવટ મળી છે.ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભારતે પાકિસ્તાન તરફ ઘણી વખત મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પરંતુ પાકિસ્તાન તરફથી આપણને હંમેશા દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ જોતાં અલગતાવાદની રણનીતિ વધુ સારી લાગે છે. જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં યોજાઈ રહેલા શાંગરી-લા ડાયલોગમાં પોતાના સંબોધનમાં આ વાત કહી હતી.


અમારું સંપૂર્ણ ધ્યાન હિંદ મહાસાગર ક્ષેત્ર પર છે:CDS

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે 'અમારું સંપૂર્ણ ધ્યાન હિંદ મહાસાગર ક્ષેત્ર પર છે.

ખાસ કરીને ઉત્તર બંગાળની ખાડીમાં. આપણી ભૂરાજકીય સ્થિતિ એવી છે કે આપણે ઉત્તરથી પણ આગળ વધી શકતા નથી કારણ કે ચીન સાથે તણાવ ચાલુ છે. ન તો આપણે પૂર્વ તરફ આગળ વધી શકીએ કારણ કે મ્યાનમારમાં અસ્થિરતા છે.'

સીડીએસે કહ્યું કે 'આપણે રાજકીય રીતે મધ્ય અને પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા છીએ, પરંતુ ભૂરાજકીય રીતે અલગ છીએ. આવી સ્થિતિમાં, સમુદ્ર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આપણા ટાપુ પ્રદેશો આપણને હિંદ મહાસાગર સુધી બહોળી પહોંચ આપે છે, જે આપણા માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે અને આપણે તેનો ખૂબ જ સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે. હિંદ મહાસાગરના ઉત્તરમાં કેટલાક વિસ્તારો હંમેશા આપણા માટે ચિંતાનો વિષય રહ્યા છે, પરંતુ આપણે ફક્ત ઉત્તર સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. હવે આપણે દક્ષિણ તરફ પણ જોઈ રહ્યા છીએ, જ્યાં આપણા દરિયાઈ હિત માટે ઘણી શક્યતાઓ છે.'

સિંગાપોરમાં 22મો શાંગરી-લા ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે શુક્રવારે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. જનરલ ચૌહાણે કહ્યું હતું કે, 'માત્ર ભારત જ નહીં, પરંતુ રણનીતિ પણ બદલાઈ ગઈ છે.' તમને જણાવી દઈએ કે શાંગરી-લા ડાયલોગ એશિયાનો મુખ્ય સંરક્ષણ મંચ છે, જે શુક્રવારથી રવિવાર સુધી આયોજિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા CDS જનરલ ચૌહાણે ભવિષ્યના યુદ્ધ અને તેના વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે 'ભવિષ્યના પડકારો માટે સંરક્ષણ નવીનતા ઉકેલો' વિષય પર વાત કરી હતી. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ઉછરતા આતંકવાદીઓને ખતમ કર્યા પછી, ભારત હવે રાજદ્વારી મોરચે પાકિસ્તાનને ખુલ્લા પાડી રહ્યું છે.

આ રીતે તેમને સંબોધનમાં કહ્યું કે આપણે પાકિસ્તાન સાથે દુશ્મનાવટ  નથી  કરવી છતાં બદલામાં આપણને હંમેશા દુશ્મનાવટ મળતી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application