પોરબંદરમાં ‚પિયા એક કરોડના ખર્ચે બની રહેલા આઇકોનિક નિર્મલપથની કામગીરીમાં બેદરકારી

  • May 29, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં એક કરોડના  ખર્ચે બની રહેલા આઇકોનિક નિર્મલપથની કામગીરીમાં બેદરકારીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને નબળી ગુણવત્તાવાળુ કામ થતુ હોવાનું જણાવી મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
પોરબંદરના એડવોકેટ અને આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભનુભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે કે પોરબંદર શહેરમાં એક કરોડના ખર્ચે અસ્માવતી રીવરફ્રન્ટથી કમલાબાગ સુધીના રોડને આઇકોનિક નિર્મલપથ બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં શ‚આતથી જ આ કામગીરી નબળી થતી હોય, હાલમાં અમુક જગ્યાએ કોંક્રીટ નાખેલ છે. તેમાં પાણી નાખવામાં આવતુ નથી અને રીવરફ્રન્ટથી કમલાબાગ આવજતા ડાબી સાઇડમાં જે લોખંડના પોલમાં લાઇટો નાખેલ છે. તે એક વર્ષમાં તૂટી જાય તેવા હલકી ગુણવત્તાના પોલ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. હાલમાં હજી કામગીરી ચાલુ કરેલ છે. તનેમાં પણ શ‚આતથી નબળી ગુણવત્તા તમે જાવ ત્યારે દેખાઇ આવે છે. આ રોડની વચ્ચેની પેરાપેટ કરોડો ‚પિયાના ખર્ચે સીમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવેલ હતી. તે હાલમાં તોડીને ત્યાં આઇકોનીક ઇલેકટ્રીક પોલ કે અન્ય કામગીરી કરવામાં આવશે. ત્યાં હાલ ચાલતી કોંક્રીટની કામગીરી પણ નબળી ગુણવત્તાની થતી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. હાલમાં રોડ ઉપર થઇને ઇલેકટ્રીક વાયર સાવ ઉપર જ નાખવામાં આવેલા હોવાથી અકસ્માત થવાનો ભય રહેલ છે. 
બાદ આ કામ સાથે શહેરના એપ્રોચરોડની સફાઇ કામગીરી પણ કરવાની થતી હોય તે કામગીરી પણ કરવામાં આવતી નથી. હાલમાં સફાઇ કામગીરી તાત્કાલિક શ‚ કરવામાં આવે અને આ ચાલતા કામની યોગ્ય ઇજનેર દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.અન્ય જણાવવાનું કે પોરબંદર મહાનગરપાલિકા હસ્તક ચાલતા કામો કરોડો ‚પિયાના ખર્ચ કરવામાં આવી રહ્યા છે.  હાલમાં ચાલતા કામોમાં ક્ધસલ્ટન્ટ મનીષભાઇ ‚પારેલીયા માત્ર કાગળ ઉપરજ કામગીરી કરે છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી તરીકે ઇન્સ્પેકશન સી.સી. પટેલ એન્ડ એસોસીએટેડ પ્રા.લી. અમદાવાદ હોય તે પણ કોઇ સુપરવાઇઝર કે એન્જીનીયર સાઇડ ઉપર રાખતા નથી આથી યોગ્ય સુપરવિઝન ન હોવાથી હાલમાં ખાપટ વિસ્તારમાં કરોડો ‚પિયાના ખર્ચે બનતી ભુગર્ભ ગટરની લાઇનની કામગીરી એકદમ નબળી ગુણવતાની થઇ રહી છે. જે કામગીરી ‚ા. ૪૭ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે. તે એજન્સી યશ ક્ધસ્ટ્રકશન કુાં. ભાવનગરની છે તેમની સામે પણ તપાસ હાથ ધરવી જોઇએ તેમ ભનુભાઇ ઓડેદરાએ ઉમેર્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application