રાષ્ટ્રીય નાયક મહારાણા પ્રતાપ આજે પણ દરેક ભારતીયમાં જીવંત

  • May 30, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.
વીર શિરોમણી મહારાણા પ્રતાપને  તેમની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠનના અગ્રણીઓ દ્વારા પુષ્પમાળા અને પૂષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. મહારાણા પ્રતાપના જન્મ જયંતીના શુભ દિવસે પેરેડાઇઝ ફુવારા પાસે આવેલી પ્રતિમાએ ગર્વ અને કૃતજ્ઞતા સાથે રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠનના સદસ્યો તરફથી શ્રદ્ધાંજલિ આપવા સાથે સાથે મહારાણા પ્રતાપના જીવન દરમિયાન તેઓ એક સ્વપ્નદ્રષ્ટા, રાષ્ટ્રીય નાયક, જેમનો અદમ્ય સંકલ્પ, અદમ્ય બહાદુરી અને રાષ્ટ્રભક્તિ અને ચાર સદીઓથી વધુ સમય વીતી ગયા પછી પણ, તેમની તેજસ્વીતા અને સંકલ્પ આજે પણ એટલા જ સુસંગત છે તેવા પ્રેરણાદાયી જીવનને યાદ કરવામાં આવ્યા અને સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું કે મહારાણા પ્રતાપ દરેક ભારતીયના ધબકારામાં જીવંત છે અને રહેશે તેમ રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન, પોરબંદરના આગેવાનોએ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News