દુનિયાભરમાં ટેટૂનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. કૂલ અને સ્ટાઇલિશ દેખાવા માટે મોટાભાગના યુવાનો ટેટૂ કરાવતા હોય છે. જેમ જેમ ટેટૂનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેમ તેમ તેની આડઅસર પણ વધી રહી છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ટેટૂમાં ઉપયોગમાં લેવાતી શાહીથી ચેપ, એલર્જી અને કેન્સરનું જોખમ રહેલું છે. આ જીવલેણ પણ બની શકે છે. રાષ્ટ્રીય ટેટૂ દિવસ દર વર્ષે 17મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.
એનાલિટિકલ કેમિસ્ટ્રી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર ટેટૂની શાહીમાં ઘણા ખતરનાક રસાયણો હોય છે. જે ત્વચા, ફેફસાં અને લીવરમાં બળતરા પેદા કરી શકે છે. એટલું જ નહીં તે કિડની અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ટેટૂને કારણે એઇડ્સનું જોખમ
નિષ્ણાતોના મતે કેટલીકવાર ટેટૂમાં ઉપયોગમાં લેવાતી સોય યોગ્ય ન હોવાને કારણે લોહી દ્વારા ફેલાતી ઘણી ખતરનાક બીમારીઓનું જોખમ રહેલું છે. આનાથી હેપેટાઇટિસ સી, એચઆઇવી અથવા એઇડ્સ, મેથિસિલિન-પ્રતિરોધક સ્ટેફાયલોકોકસ ઓરિયસ જેવા અત્યંત ગંભીર રોગો થઈ શકે છે.
ટેટૂથી કેન્સરનું જોખમ
સ્વીડનની લિન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ટેટૂથી કેન્સરનું જોખમ શોધી કાઢ્યું છે. 2007 થી 2017 સુધીના 10 વર્ષ માટે સ્વીડિશ નેશનલ કેન્સર રજિસ્ટરનું વિશ્લેષણ કર્યું. જેમાં 20 થી 60 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટેટૂ ન કરાવનારાઓ કરતાં ટેટૂ કરાવનારાઓને લિમ્ફોમાનું જોખમ 21 ટકા વધારે હતું.
છેલ્લા 2 વર્ષમાં ટેટૂ કરાવનારાઓમાં લિમ્ફોમાનું જોખમ 81% હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે ટેટૂ શાહીમાં જે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તે લિમ્ફોમાના જોખમને વધારી કે ઘટાડી શકે છે અથવા તે નહિવત્ હોઈ શકે છે. જો કે અત્યાર સુધી આ જોડાણનો માત્ર દાવો કરવામાં આવ્યો છે. તેથી ટેટૂ કરાવતી વખતે, ચોક્કસપણે યોગ્ય ગુણવત્તાની શાહી અને સોય તપાસવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજારમાં ભૂકંપ, એક જ દિવસમાં કરોડો ડોલરનું નુકસાન
April 06, 2025 11:57 PMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech