જામનગરના એસટી બસ સ્ટેશન ખાતે નેશનલ રોડ સેફટી મંથ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાગીય નિયામક,આરટીઓ અધિકારીઓ,ડીવાયએસપી, ટ્રાફિક પીઆઈ,તેમજ ટ્રાફિકની સમગ્ર ટીમ સાથે કાર્યક્રમનું શુભારંભ થયું હતું.તેમજ આ કાર્યક્રમમાં અકસ્માત નિવારણ માટે માટે અધિકારીઓ દ્વારા સૌ લોકોને અવગત કરેલ હતા.તેમજ નિલ અકસ્માત ધરાવતા ડ્રાઈવરોનું સન્માન કરાયું હતું.
જામનગર એસટી ડેપો ખાતે તા.૧૬-૧-૨૦૨૫ ગુરૂવારના રોજ વિભાગીય નિયામક બી.સી.જાડેજા,આરટીઓ કે.કે.ઉપાધ્યાય, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આરટીઓ ઈન્સ્પેકટર રૂપાણી, ડિટીઓ જે. વી.ઈશરાણી, પીઆઈ ટ્રાફિક ચાવત, ડેપો મેનેજર એન.બી. વરમોરા, ટીઆઈ અકસ્માત સુંબડ, ટ્રાફિક શાખાની હાજરીમા નેશનલ રોડ સેફટી મંથ ૨૦૨૫ ની ઉજવણી કરી, અને સ્ટાફગણને રોડ સેફટી તેમજ અકસ્માત નિવારણ વિગતોથી અવગત કરેલ તેમજ નિલ અકસ્માત ધરાવતા જામનગર ડેપોના ડ્રાઈવરોને પ્રસંશા પત્ર અધિકારીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું,વાહન સલામતીપુવર્ક ચલાવવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
તે ઉપરાંત મુસાફરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફને ડ્રાઈવિંગ હેબિટ અને અકસ્માત નિવારવા માટે આર.ટી.ઓ. ટ્રાફિક વેન મારફતે વિડિયોગ્રાફિ દેખાડીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech