પંજાબની નાભા જેલ તોડીને તેમાંથી બે આતંકવાદી અને ચાર ગેંગસ્ટરને ભગાડી જવાની ઘટનામાં જબરો વણાંક આવ્યો છે અને આ કેસના માસ્ટરમાઇન્ડ રમનજીત સિંહને હોંગકોંગથી ભારતમાં લાવવામાં સીબીઆઈને સફળતા મળી છે.સીબીઆઈએ ઈન્ટરપોલ, એનસીબી–હોંગકોંગની મદદથી આ ઓપરેશન પાર પડું હતું.
આ સમગ્ર કેસ ની વિગતો જોઈએ તો ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ પોલીસ વર્દીમાં આવેલા ૧૦ લોકોએ પંજાબની નાભા જેલમાંથી બે આતંકવાદીઓ અને ચાર ગેંગસ્ટરોનું અપહરણ કયુ હતું. જેલ બ્રેકની આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. આ કેસમાં સીબીઆઈ ઈન્ટરપોલ, એનસીબી –હોંગકોંગની મદદથી હોંગકોંગથી આતંકવાદીઓ અને ગેંગસ્ટરોને જેલ તોડવાના કાવતરાના માસ્ટરમાઈન્ડને ભારત લાવવામાં સફળ રહી છે.સીબીઆઈએ જણાવ્યું કે હોંગકોંગથી ભારત લાવવામાં આવેલા વોન્ટેડ વ્યકિતનું નામ રમનજીત સિંહ છે. ૨૨ માર્ચ ૨૦૧૭ના રોજ પંજાબ પોલીસની વિનંતી પર સીબીઆઈએ ઈન્ટરપોલ જનરલ સચિવાલયમાંથી તેની સામે રેડ નોટિસ જારી કરી હતી. આ પછી આરોપીના સ્થાન અને ધરપકડ માટે ઇન્ટરપોલના તમામ સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી હતી.ઈન્ટરપોલ દ્રારા ૨૦૧૮માં આરોપીને હોંગકોંગમાં ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેની માહિતી પંજાબ પોલીસને આપવામાં આવી હતી. આ પછી તેને ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. હવે તેને ભારતમાં લાવવામાં આવી શકે છે. તેને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech