એનએસયુઆઇ દ્વારા શહેરની શાળાઓની શુભેચ્છા મુલાકાત 

  • June 11, 2025 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત તા. 9 થી જામનગરની સાથે સમગ્ર ગુજરાતમાં શાળાઓના નવા સત્રની શરૂઆત થઈ છે, જેના અનુસંધાને જામનગર એનએસયુઆઇ દ્વારા જામનગર શહેરની શાળાઓની શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ હતી. અને શાળાના આચાર્યને તેમજ ટ્રસ્ટીઓને ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથો સાથ ચાલુ વર્ષ દરમિયાન સરકારના તમામ નીતિ નિયમોનું પાલન થાય, રજાના દિવસોમાં અને રવિવારે પણ શાળાઓ બંધ રહે, તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે, વિદ્યાર્થીઓનું શોષણના થાય આ તમામ મુદ્દાઓની ચર્ચા કરી અને શુભેચ્છા મુલાકાત કરવામાં આવ્યો હતી. આ કાર્યક્રમમાં ગુજરાત એનએસયુઆઇના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News