મવડીના છેડે રામધણ આશ્રમ નજીક સંસ્કાર સીટીમાં રહેતા કારખાનેદાર યુવક રાત્રીના ઈજાગ્રસ્ત હાલતમાં પાકિગમાંથી મળી આવતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સાથે રહેલા સ્વજને કારમાંથી પડી જતા ઇજા થઇ હોવાનું કહ્યું હતું પરંતુ ઇજાના નિશાન વધુ હોવાથી પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેમાં તેમના માથા પરથી ટાયર ફરી ગયાનું અને હેડ ઇન્જરી થવાને કારણે મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
પ્રા વિગત મુજબ રામધણ આશ્રમ પાસે સંસ્કાર સીટીમાં રહેતાં અને કારખાનું ધરાવતા ધર્મેન્દ્રભાઇ છગનભાઇ રૈયાણી (ઉ.વ.૩૮) નામના યુવાન રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં એપાર્ટમેન્ટના પાકિગમાં પડા હોવાની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવતા મોત થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી સાથે રહેલા સ્વજનની બનાવ અંગે પૂછપરછ કરતા કારમાંથી પડી ગયાનું જણાવ્યું હતું. યુવકના માથા અને શરીરના ભાગે ઇજાના વધુ પડતા નિશાન અને લોહી નીકળેલી હાલત જોતા શંકાના આધારે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેમાં યુવકના માથા પરથી વાહનનું ટાયર ફરી જવાથી અને માથાના ભાગે ઇજા થતા મોત નિપયાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. પોલીસે ડ્રાઇવિંગ સીટમાં બેઠેલા તેમના મોટાભાઈ પ્રશાંતભાઈની ઐંડાણ પૂર્વકની પૂછતાછ હાથ ધરી છે.
મૃતક ધર્મેન્દ્રભાઇ બે ભાઇમાં નાના હતાં. અને સંતાનમાં બે પુત્રી છે. યુવકનું મોત કઈ રીતે થયું છે એ જાણવા પોલીસ ફોરેન્સિક રિપોર્ટ ની રાહ જોઈ રહી છે રિપોર્ટ બાદ આગળની તપાસમાં સાચું કારણ બહાર આવી શકશે. પોલીસે એપાર્ટમેન્ટના તેમજ પાકિગમાં સીસીટીવી ફટેજ પણ કબ્જે લઇ તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech