પોરબંદરના લઘુમતિ વિસ્તારમાં ફસાયેલા લોકો અને પશુઓને હોડી વડે બચાવવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં ઉપરવાસમાંથી જુદા-જુદા ડેમના પાણી છોડવામાં આવતા અને પોરબંદરમાં સ્થાનિક પડેલા વરસાદને કારણે કુંભારવાડા વિસ્તારથી લઈને મેમણ વાડા સુધીના વિસ્તારમાં ઠેર ઠેર પૂરના પાણી ઘૂસી ગયા છે જેના કારણે અત્યાર સુધીમાં લઘુમતી વિસ્તારોમાંથી ૫૦ જેટલા પરિવારોનું સ્થળાંતર હોળી મારફતે કરીને વી.જે.મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તેઓને આશરો આપવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ તેમના બકરી સહિતના પશુઓને પણ હોડીમાં બચાવવામાં આવ્યા હતા મુસ્લિમ યુવાનોની ટીમ દ્વારા ગતરાત્રિથી જ સતત આ કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોના સ્થળાંતરમાં મદદપ બની રહ્યા છે તથા તેઓને ભોજન સહિત રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. બે સગર્ભા મહિલાઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં ગઇકાલ રાત્રિથી જ સિપાઇ જમાતના માજી પ્રમુખ ફાકખાન શેરવાની, સૈયદ અજીમબાપુ, સુધરાઇસભ્ય ફાકભાઇ સૂર્યા, સિપાઇ જમાતના પ્રમુખ ફૈઝલખાન પઠાણ, યાકુબભાઇ મુલ્લા સહિત ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વી.જે.મદ્રેસા સંકુલમાં ઉમ્મતિ એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ તરફથી ફરસાણ તથા નાસ્તાના પેકેટ તથા હાજી આફતાબભાઇ ખત્રી મચ્છીવાળા તરફથી ૪૦૦ લોકોને ભોજન પૂરુ પાડવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech