સિટી બસ કાંડમાં ચારના મોતના ૪૮ કલાક પછી વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારતી મહાપાલિકા

  • April 18, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં સર્જાયેલા સીટી બસ કાંડમાં ચાર નિર્દોષ નાગરિકોના મોત બાદ હવે ૪૮ કલાક પછી મહાપાલિકા દ્વારા વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને ત્રણ દિવસમાં માગેલી વિગતો રજૂ કરવા આદેશ કરાયો છે.

વિશેષમાં અંગે રાજકોટ લિમિટેડના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લી. દ્વારા સીટી બસ ઓપરેશન અંતર્ગત સપ્લાય કરવામાં આવતી ઈલે. બસ દ્વારા ગત તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ રાજકોટ શહેરના ઈન્દીરા સર્કલ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ ૪ (ચાર) નાગરિકોના અવસાન થયેલ તથા અન્ય ૪ (ચાર) નાગરિકો ગંભીરપ્રકારે ઈજાગ્રસ્ત થયેલ. ઈન્દીરા સર્કલ ખાતે કરાયેલ અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તથા રાજકોટ શહેરના નાગરિકોની જાન-માલની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના પગલાના ભાગરૂપે તમોની હાલમાં કાર્યરત તમામ ઈલે. બસના ફીટનેસ સટીફીકેટ તથા તમોના હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફીઝીકલ ફીટનેસ સર્ટીફીકેટ દિવસ-૩ માં અત્રેને બીનચૂક રજુ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application