ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી કમિશ્નર તથા ડેઝીગ્નેટેડ ઓફિસર, ફૂડ શાખા, આરોગ્ય અધિકારીની સૂચના હેઠળ શહેરના મીઠાઈ તથા ફરસાણનાં ખાધ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓની સઘન તપાસણી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.
આ ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તાર જેવા કે, જમાદાર શેરી,એમ જી રોડ ,ખારગેટ તથા આસપાસના વિસ્તારો પર ખાદ્ય મીઠાઈ તથા ફરસાણ વગેરે ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓ પર સ્થળ તપાસ કરી, તપાસણી દરમ્યાન શંકાસ્પદ ખાદ્ય ચીજ,કલર તથા રો મટીરીયલ(કાચો માલસામાન) વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા અંદાજીત ૧૪ જેટલા આસામીઓ પાસેથી તપાસ અર્થે મીઠાઈ તથા ફરસાણના નમૂનાઓ લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે,જે તપાસમાં આદર્શ સ્વીટ,જય અંબે ફરસાણ હાઉસ, સન્તુ શિંગ, જબ્બારભાઈ શિંગવાળા,જય ગોપાલ ફરસાણ હાઉસ,સાઈનાથ સ્ટોર, રાજાણી ફરસાણ હાઉસ,હર ગોવિંદદાસ નથુભાઈ સુખડીયા, શશીભાઈ કાજુપુરીવાલા, જગદીશ ભેલ, લક્ષ્મી ભેલ, રાજ ફરસાણ, બોમ્બે સ્વીટ તથા વરૂણ નમકીન વગેરે મળીને કુલ ૧૪ પેઢીમાંથી મીઠાઈઓ ઓરંજ પાતરા, ટોપરાનાં લાડુ,બેસન લાડુ, મોહનથાળ, નાનખટાઈ, કેક, રોલ ક્રિમ,મલાઈ ચાપ, કાજુ રોટલા, ગુલાબજાંબુ,શીંગ પાક, જલેબી તેમ જ ફરસાણ જેમ કે, ફરસી પૂરી, ચાટ પૂરી ફરાળી ચેવડો, મગદાળ, ફૂલવડી,મરીવાલા ગાંઠિયા, ઝીણા ગાંઠિયા સહિતના નમુનાઓ લેવામાં આવ્યા હતા. હાલ તહેવારો તથા ચોમાસાની ઋતુ ચાલતી હોઈ, ખાધ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓને તાકીદ કરવામાં આવે છે કે ખુલ્લા ખાધ્ય પદાર્થનું અને વેચાણ ન કરવું તથા ખાધ્ય પદાર્થ ખુલ્લો ન રાખતા નેટ(જાળી) થી ઢાંકીને રાખવો.ખાદ્ય પદાર્થનું વેચાણ કરવાના સ્થળ પર સ્વછતા રાખવી.આ બાબતે કાળજી ન રાખનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુ. તંત્રના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMવૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય' આધારિત લોકજાગૃતિ અભિયાન યોજાશે
May 24, 2025 03:22 PMકુંભણના યુવાને માલણ ડેમમાં કૂદી વ્હોર્યો આપઘાત
May 24, 2025 03:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech