કડીમાં માત્ર 30 હજારની ઉઘરાણીથી કંટાળેલી માતાએ તેની આઠ વર્ષની દીકરી સાથે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતાએ આપઘાત કરતાં પહેલા એક ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, 30 હજાર રૂપિયા આપતા નથી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં. જેમાં આઠ વર્ષની ત્રીજા ધોરણમાં ભરતી દીકરી સાથે માતાએ આપઘાત કરી લીધો હોવાનું જણાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નર્મદા કેનાલમાંથી માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી હતી. બંને સાણંદના મખીયાવ ગામની રહેવાસી હોવાનું માલૂમ પડ્યું હતું.
કડી પોલીસે ચિઠ્ઠી,મોબાઈલ અને થેલી કબજે કરી
કેનાલ પાસેથી મળેલી ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, કણજરી ગામના નટુભાઈ જોડેથી 30 હજાર રૂપિયા લેવાના છે. જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ સહિતની મદદથી પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. માત્ર 30 હજારની ઉઘરાણી મુદ્દે આ ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત
April 21, 2025 09:53 AMરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech