સુપ્રીમ કોર્ટે કહ્યું કે દહેજ ઉત્પીડન અને ઘરેલુ હિંસાના મામલાઓ સાથે સંકળાયેલી આઈપીસીની કલમ ૪૯૮–ક દેશમાં સૌથી વધુ દુપયોગ કરાયેલ કાયદો છે. વૈવાહિક વિવાદના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ કાયદાનો વારંવાર મહિલાના પરિવાર દ્રારા વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો સંબધં બગડે તો પતિ અને તેના પરિવારને ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. ઘણી વખત ખોટા કેસ દાખલ કરવામાં આવે છે અને બાદમાં સમાધાન થઈ જાય છે.
જસ્ટિસ બી.આર.ગવઈ, પ્રશાંત કુમાર મિશ્રા અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું કે વૈવાહિક વિવાદના કેસોમાં સ્વતંત્રતા હાંસલ કરવી એ શ્રે બાબત છે. જસ્ટિસ ગવઈએ કહ્યું, મેં નાગપુરમાં એક કેસ જોયો હતો, જેમાં પતિ એક દિવસ પણ પત્ની સાથે ન રહ્યો, પરંતુ અલગ થવા પર તેણે પત્નીને ૫૦ લાખ પિયા આપવા પડા. વૈવાહિક ક્રૂરતાના વાસ્તવિક પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરતાં કોર્ટે કહ્યું કે જો આઈપીસીની કલમ ૪૯૮–ક હેઠળના ગુનાને કમ્પાઉન્ડેબલ બનાવવામાં આવે તો હજારો કેસ ઉકેલી શકાય છે.
બોમ્બે હાઈકોર્ટે પણ તાજેતરમાં કલમ ૪૯૮–કના દુપયોગ અંગે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે પતિના દાદા–દાદી અને પથારીવશ લોકોને પણ આવા કેસમાં ફસાવવામાં આવે છે. મે મહિનામાં કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે વૈવાહિક વિવાદોમાં પત્ની વારંવાર બદલો લેવા માટે પતિ અને તેના પરિવાર સામે ફોજદારી કાર્યવાહી શ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech