યાત્રાધામ સોમનાથ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અત્યારે ઋતુ પરીવર્તનને કારણે શરદી તાવ સહિતના રોગચાળામાં ખુબજ વધારો થયો છે. જેથી આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓનું પ્રમાણ વધુ છે અને દાખલ થવાના કેસમાં પણ વધારો થયેલ છે ત્યારે બરોબર હોસ્પિટલના પાછળના ભાગે આવેલ કોળી વિસ્તારમાં કચરો અને ગંદકી જોવાં મળે છે આ ગંદકીમાં ગાયો-ભુંડ સહિતના આળોટતાં હોવાથી વધારે ગંદકી થાય છે. આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પરેશાન કરે છે. જેથી નગરપાલિકા દ્વારા આ કચરો અને ગંદકી દુર કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે જેથી મચ્છરોનો ઉપદ્રવ ધટે અને દર્દીઓને રાહત મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech