જિલ્લામાં યોજાયેલા સમર યોગ કેમ્પ દરમ્યાન ૮૦૦થી પણ વધુ બાળકોએ લીધો ભાગ

  • June 05, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં મહાનગર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭ સમર યોગ કેમ્પમાં ૮૦૦ થી વધુ બાળકો મેદસ્વિતા મુક્ત ગુજરાત નિર્માણમાં જોડાયા હતા.
ભાવનગરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર હેતલબેન કાછડીયા અને હેતલબેન પટેલના માર્ગદર્શનમાં ૭ અલગ અલગ સ્થળ પર હાદાનગર , બોરતળાવ, ઘોઘાસર્કલ, ભરત નગર, રૂવા ગામ, પાલીતાણા, મહુવા ખાતે ૧૫ દિવસના સમર યોગ કેમ્પનું સમાપન થયું હતું. ૮૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર કેમ્પમાં ભાગ લીધો હતો. યોગ, આસન, પ્રાણાયામ અને ગીતાજીના શ્લોક, ધ્યાન વિશેનો વિશેષ અભ્યાસ કરી બાળકોમાં સારા સંસ્કારો અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા અંગે પણ માર્ગદર્શન પ્રાપ્ત કરાયું હતું. પ્રચારક  જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application