કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધિવેશનમાં ૧૪૦થી વધુ નેતાઓ સ્ટેજ પર

  • April 09, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં છેલ્લ ા બે દિવસથી તાપમાનનો પારો ૪૩ ડિગ્રી પર પહોંચી ગયો છે આજે સવારનું તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી રહે તેવી સંભાવના વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું અધિવેશન શ થયું છે.  કાર્યક્રમના સ્થળે ગરમીનો સામનો કરવા માટેથી ૩૦૦ જેટલા પોર્ટેબલ એસી ની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર શ થયેલા આ અધિવેશનની બેઠકના પ્રારભં પૂર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એજન્ડા ઉપર ચર્ચા થશે એક બાદ એક ઠરાવ પર ચર્ચા થશે જે નેતાના વિષય પર અભિપ્રાય આપવો હોય તો ચિઠ્ઠી મોકલશો ને તેમને બોલવાની તક આપવામાં આવશે આમ ઐંચા તાપમાન વચ્ચે શ થયેલી આજની બેઠક સાંજ સુધી ચાલશે.
કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધિવેશનમાં સ્ટેજ પર ૧૪૦ જેટલા નેતાઓ ગોઠવાઈ ગયા છે કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ પ્રમુખ મલ્લિ કાર્જુન ખડગે, સોનિયા ગાંધી રાહત્પલ ગાંધી સહિતના લોકોને સ્ટજ પર સ્થાન આપવામાં આવ્યું છે.  આજે વહેલી સવારે પોલીસે નેતાઓની સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી એકના ડીસીપી બલરામ મીણા એસપી અને પીઆઇ સહિતના અધિકારીઓ સિકયુરિટી એજન્સી આજે સવારથી જ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા સ્ટેજની સુરક્ષા ની સમીક્ષા કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application