નીલકંઠ પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્રની બલિહારી: પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા
જામનગર મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીના વધુ એક નમૂનો ગઈકાલે જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં જોવા મળ્યો હતો, ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી, અને માર્ગો પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા.
જામનગરના બેડી બંદર રોડ ઉપર નીલકંઠ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગઈકાલે બપોરે એકાએક પાણીની પાઇપલાઇન લીક થઈ હતી, અને તેના કારણે તેમાંથી પાણીના ફુવારા ઉડ્યા હતા. અને આસપાસના વિસ્તારમાં જલ ભરાવ થયો હતો. ચોમાસામાં જે રીતે પાણી ભરાઈ જાય તે રીતે નીલકંઠ પાર્ક વિસ્તારના મેઇન રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું હતું, અને હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
મોડે સુધી પણ મહાનગરપાલિકા નું તંત્ર ઉપરોક્ત સ્થળે પ્રગટ થયું ન હતું, જેના કારણે પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો, અને ત્યાંથી પસાર થનારા રાહદારીઓ- વાહન ચાલકોને લાંબો સમય સુધી હાલાકી વેઠવી પડી હતી, જો કે મોડેથી આ અંગેની જાણ થતાં પાણી નો પ્રવાહ બંધ કરી દેવાયા પછી લીકેજ અટક્યું હતું, અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech