ધોરાજીના નાની પરબડી ગામમાં રહેતા દલિત યુવાનની ગળાટૂપો આપી હત્યા કર્યાનો બનાવ બનતા દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.હત્યારાઓને તાકીદે ઝડપી લેવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેમજ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા સ્થિતિ તગં બની ગઇ હતી. પોલીસે તાકીદે તપાસ હાથ ધરી યુવાનની હત્યામાં તેના જ સગીર મિત્રને ઉઠાવી લીધો હતો.બાદમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા યુવાનનો મૃતદેહ સ્વીકાર્યેા હતો.દા પાર્ટીમાં માથાકૂટ થયા બાદ યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નાની પરબડીના પૂર્વ સરપચં અરવિંદભાઈ ગજેરાએ જણાવ્યું કે વહેલી સવારના સાગઠીયાના સુરાપુરા દાદાની મંદિરની બાજુમાં યુવાનની લાશ પડી હોય તપાસ કરતા ગામના દલિત યુવાન વિમલ ઉકાભાઇ સાગઠીયા(ઉ.વ.૨૫)નો મૃતદેહ હોવાનું માલુમ પડતા તાત્કાલિક ધોરાજી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને તપાસ કરતા સ્થળ પરથી દાની કોથળીઓ મળી આવી હતી. મૃતક વિમલ ઉકાભાઇ સાગઠીયા અપરિણીત અને બે બહેન એક ભાઇના પરિવારમાં નાનો હતો. યુવાન નાની પરબડી ગામના દુધીબેન ઉકાભાઇ રાઘવભાઈ સાગઠીયા (ઉ.વ.૬૦)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે નાની રોજ સાંજના સાત વાગ્યે મારા પુત્ર વિમલ તેમના મિત્ર સાથે તોરણીયા મંદિર તરફ જમવા માટે નીકળ્યા હોય અને બાદમાં તોરણીયાથી પરત આવી જમી આઠ કલાકે બહાર ગયેલ ત્યારબાદ ઘરે પરત નહીં આવતા ફોન કરેલ પરંતુ ફોન સ્વીચ ઓફ હતો પૂરી રાત સુધી ઘરે નહીં આવતા સવારના સમયે પરિચિત વ્યકિતએ જાણ કરેલ કે ફલજર નદીના કાંઠે સુરાપુરા બાપા ના મંદિર પાસે વિમલનો મૂતદેહ પડેલો છે ત્યાં પરિવારના તમામ લોકો પહોંચી જતા વિમલની આંખમાંથી લોહી નીકળતું હતું અને ગળાના ભાગે અને ગાલ પર પણ ઈજાના નિશાન હતા.યુવાનની હત્યાની આ ઘટના બાદ ધોરાજીના ગેલેકસી ચોક બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે દલિતોએ ચક્કાજામ સૂત્રોચ્ચાર કરી ને રોષ વ્યકત કરાયો હતો.આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેતા મામલો તગં બની ગયો હતો.સ્થિતિની ગંભીરતા જાણી ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલા, રાજકોટથી ડોગ સ્કોડ તેમજ એલસીબી, એસ ઓ,જી પોલીસ ટીમ દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી. મોડી સાંજે પોલીસે આરોપી યુવાનના સગીર મિત્રને સકંજામાં લઇ પૂછપરછ કરતા બહાર આવ્યુ હતું કે, દાની પાર્ટીમાં બોલાચાલી બાદ ઝઘડો થતા વિમલને ગળાટૂંપો દઇ પતાવી દીધો હતો. પોલીસે આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech