માધવપુરમાં આધેડ ઉપર પાઇપ વડે થયો હુમલો

  • March 17, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના માધવપુર ગામે અનુસૂચિત જાતિવાસમાં આધેડ ઉપર ત્રણ શખ્શોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.માધવપુરના અનુસૂચિત જાતિવાસમાં રહેતા અને મજૂરીકામ કરતા સોમાભાઇ નગાભાઇ માવદીયા નામના ૫૫ વર્ષના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ વાસના  નાકે બેઠા હતા ત્યારે સાહિત ઉર્ફે સિધ્ધાર્થ મનસુખ માવદીયા ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો હતો તેથી સોમાભાઇએ તેને ગાળો બોલવાની ના પાડતા લોખંડના પાઇપવડે સાહિલે સોમાભાઇને માર માર્યો હતો એ દરમિયાન મનસુખ ઉર્ફે લખન નાથા માવદીયા અને નાથા લખમણ માવદીયા પણ ત્યાં આવી ગયા હતા જેઓએ  સોમાભાઇને ગાળો દીધી હતી અને મનસુખ ઉર્ફે લખને લાકડીવડે માર મારી હત્યાની ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application