80 દાતાએ રકતદાન કર્યું: રકતદાન કેમ્પમાં એકત્રિત 24,000 સીસી રકત સરકારી બ્લડ બેન્કમાં અપાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે જરૂર પડયે મદદરૂપ થઇ શકાય તથા અગમચેતીના ભાગરૂપે ખંભાળીયા-ભાણવડમાં ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે.કરમટાના માર્ગદર્શનમાં બે કેમ્પો યોજાયા હતા. જે સાથે ખંભાળીયાની સરકારી બ્લડ બેંકમાં રક્ત આપવામાં આવ્યું હતું. ખંભાળીયામાં આ આપાતકાલીન સ્થિતિના આગોતરા આયોજન રૂપ રક્તદાન કેમ્પને સારો પ્રતિસાદ લોકોએ આપ્યો હતો. ખંભાળીયાના જલારામ મંદિરે યોજાયેલ કેમ્પ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જલારામ સત્સંગ મંડળ તથા લાયન્સ કલબ અને રેડક્રોસ સંસ્થા દ્વારા યોજાયો હતો. જેમાં ઉત્સાહપૂર્વક 80 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું..
ડોકટર્સ એસો.ના ડો.જાદવ, જલારામ સત્સંગ મંડળના વિઠ્ઠલાણીભાઈ, લાયન્સના પ્રમુખ સાગર ભૂત તથા પરેશભાઈ મહેતા, હાડાભા જામ,રેડક્રોસના કિરીટભાઈ મજીઠીયા, વિ. જોડાયા હતા. તથા જિલ્લા આરોગ્ય અધિકારી ચિરાગ ચોલીસા, સરકારી બ્લડ બેંકના ડો.કનારા લખમણભાઈ, અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, વનરાજસિંહ વાઢેર, હસુભાઈ ધોળકિયા, પરેશભાઈ મહેતા, રૂપેશભાઈ ગોકાણી વગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech