શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ટ્રસ્ટ દ્વારા આયોજન
શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પ.પૂ.ધીરગુરુદેવની પ્રેરણા થી અગામી તા ૨૫-૫-૨૫ ને રવિવારે મેગા દંત યજ્ઞ અને દાંત ની રાહતદરે બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન સવારે ૯ થી ૧, ગાયત્રી મંદિર, મીનીબસ સ્ટેશન પાસે, ધ્રાફારોડ, જામજોધપુર ખાતે કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મુખ્ય દાતા પ્રીતીબેન રજનીકાંતભાઈ મહેતા પરિવાર (મૂળ ધ્રાફા ) નો આર્થિક સહયોગ સાંપડેલ છે.દાંતના કેમ્પમાં ડો.જયસુખ ભાઈ મકવાણા અને તેમની ટીમ મોનિકા ભટ્ટ,જાગૃતિ ચૌહાણ અને ડો.સંજય અગ્રાવતા,ડો.કુશરાજ સિંહ સિસોદિયા..હસુભાઈ મકવાણા, સેવા આપશે. દાંતના રોગીની તપાસ કરી જરૂરી હશે તેમના દાંત જાલંધર બંધ' વડે ઇન્જેક્શન વગર સ્થળ પર જ કાઢી આપશે. પાયોરિયા, પેઢાંમાંથી લોહી પડવું દાંતમાં દુખાવો વિ. રોગોની દવા પણ આપવામાં આવશે. જરૂરિયાત હશે તેને રાહત દરે દાંતની બત્રીસી બનાવવાની વ્યવસ્થા છે .આ બન્ને કેમ્પનો લાભ લેવા અગ્રણીઓએ અનુરોધ કરેલ છે.કેમ્પની વ્યવસ્થા ગાયત્રી પરિવારના કાર્યકરો ગોઠવી રહ્યા છે. નામ નોંધાવવા માટે મોનિકા ભટ્ટ મો.૯૪૦૯૭૭૩૬૭૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ગોમતી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, 2 લોકોની શોધખોળ
May 21, 2025 05:24 PMચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech