સમસ્ત મહેશ્ર્વરી સંપ્રદાયના પ.પૂ.ઇષ્ટદેવ શ્રી લુણંગ ગણેશ દેવની જગ્યા ઘુમલી મુકામે આવેલ છે, જયાં ઘણા વર્ષોથી શ્રી ઘુમલી ગણેશ મહેશ્ર્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ ચોથ તથા ભાદરવા સુદ ચોથના રોજ શ્રી લુણંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ આગામી ચૈત્ર સુદ ચોથના રોજ તા.31-3-2025 તથા તા.1-4-2025ના રોજ શ્રી લુણંગ ગણેશ ઉત્સવ-2025નું આયોજન કરવા જઇ રહ્યા છીએ ત્યારે ઉત્સવના આયોજન અંગે તેમજ ધાર્મિક જગ્યામાં આવતા મહેશ સંપ્રદાયના અનુયાયીઓ તથા ધર્મપ્રેમી લોકોને વધારે સારી સગવડતાં સુવિધા ઉપલબ્ધ થાય તેમજ પવિત્ર ધાર્મિક જગ્યાનો વિકાસ થાય તે માટે ચચર્-િવિચારણા કરવા, મંતવ્ય જાણવા માટે તા.8-3-2025 શનિવાર સવારે 11 કલાકે શ્રી લુણંગ ગણેશ મંદિર-ઘુમલી, તા.ભાણવડ, જી.દેવભુમિ દ્વારકા ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
મીટીંગ પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા રાખેલ છે, જેમાં તમામ મહેશ સંપ્રદાયના અનુયાયીઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઇ જે.વારસાખીયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે, તેમ મહામંત્રી જયંત વારસાખીયા, એડવોકેટની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech