દેશમાં એન્ટીબાયોટીકસના દુપયોગ અથવા વધુ પડતા ઉપયોગને રોકવા માટે, સરકારે ડોકટરો માટે આ દવાઓ માટે 'સચોટ સંકેતો' લખવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સાથે, તમામ ફાર્માસિસ્ટ (મેડિકલ સ્ટોર) એસોસિએશને એન્ટિબાયોટિકનું કાઉન્ટર સેલ બધં કરવા અને લાયક ડોકટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવા સૂચના આપવામાં આવી છે.આરોગ્ય–પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલય (ડીજીએચએસ) એ આ સંબંધમાં તમામ મેડિકલ કોલેજો, મેડિકલ એસોસિએશનો અને ફાર્માસિસ્ટ એસોસિએશનોને પત્ર લખ્યો છે. ડોકટરના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીમાં દેખાતા લક્ષણો વિશે સચોટ માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે જેના માટે એન્ટિબાયોટિકસ સૂચવવામાં આવી છે. પત્ર અનુસાર આ દવાઓના દુપયોગ અથવા વધુ પડતા ઉપયોગને રોકવા માટે ડોકટરોએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.
મહત્વનું છે કે આ પગલાને એન્ટીબાયોટીકસના વધુ પડતા ઉપયોગને રોકવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. અતિશય એન્ટિબાયોટિકસ લેવાથી શરીરમાં એન્ટિ–માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર) બને છે. એટલે કે રોગપ્રતિકારક શકિત ઘટી જાય છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ તેને માનવો સામેના ૧૦ સૌથી મોટા સ્વાસ્થ્ય જોખમોમાંના એક તરીકે વર્ણવ્યું છે.
ડબ્લ્યુએચઓ નો અંદાજ છે કે ૨૦૧૯ માં વિશ્વભરમાં ૨૭૧ મિલિયન મૃત્યુ માટે એએમઆર સીધું જવાબદાર હતું, યારે ૪૯૫ મિલિયન મૃત્યુ ડ્રગ–પ્રતિરોધક ચેપથી જોડાયેલા હતા. એએમઆર આધુનિક દવાના ઘણા ફાયદાઓને જોખમમાં મૂકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech