ખંભાળિયા-ભાણવડમાં પી.આઈ., પી.એસ.આઈ.ની સામુહિક બદલીઓ

  • March 25, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બી.જે. સરવૈયાને પુનઃ ખંભાળિયા મુકાયા


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના પોલીસ અધિકારીઓની બદલીઓના ઓર્ડરો કર્યા છે. જેમાં ખંભાળિયાના પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. બી.જે. સરવૈયાને લિવ રિઝર્વમાંથી પુનઃ ખંભાળિયા પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અન્ય એક અધિકારી કે.બી. રાજવીને ભાણવડ પોલીસ મથકમાં પી.આઈ. તરીકે મુકાયા છે. આ ઉપરાંત ભાણવડના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ અને પી.એસ.આઈ. કે.કે. મારુંને લિવ રિઝર્વમાં મૂકતો હુકમ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application