ગોંડલના ગુંદાસરા ગામની પરિણીતાને વાડીએ ચણા લેવાં માટે બોલાવ્યા બાદ બળજબરી પૂર્વક ઘેની પ્રવાહી પિવડાવી ગામનાં જ રામ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પત્ની ઘરે પરત ન ફરતા પતિએ વાડીએ જઈ તપાસ કરતાં બેભાન હાલતમાં જોવા મળી હતી આથી સારવાર અર્થે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ વિભાગમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગામનો જ રામ નામનો શખ્સ તેણીના ઘર પાસે આવ્યો હતો અને પોતાની વાડીએથી ચણા લઈ જવા કહ્યું હતું, પરિણીતા સવારે શખ્સની વાડીએ ગઈ હતી જ્યાં રામ નામના શખસે પરણિતા સાથે વાતચીત કરી સોડા પીવડાવ્યા બાદ કોઈ પ્રવાહી પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો જે પીવાની ના પાડતા શખ્સે ફડાકા ઝીકી બળજબરી પૂર્વક પ્રવાહી પીવડાવ્યું હતું. બાદમાં બેભાન થઇ જતા શખ્સે શારીરિક સબંધ બાંધ્યો હતો. અને ઓરડીમાં જ મૂકી નાસી છૂટ્યો હતો.
વધુમાં ભોગ બનનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, હું મજૂરી કામ કરું છું, ગઈકાલે હું કામે ગયો હતો અને નવ વાગ્યે પત્નીનો ફોન આવ્યો હતો અને પોતે ગામના રામભાઈની વાડીએ ચણા લેવા જાય છે તેમ કહ્યું હતું. કલાક બાદ પત્નીને ફોન કરતાં અર્ધ બેભાન હાલતમાં વાત કરતી હોવાથી હું સીધો વાડીએ પહોંચ્યો હતો જ્યાં પત્નીને બેભાન હાલતમાં સમગ્ર હકીકત જણાવી હતી. આથી તેને તાકીદે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરી છે. આક્ષેપો અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech