જિલ્લા તંત્ર, દ્વારકા નગરપાલિકા, ઓખા નગરપાલિકા દ્વારા શ કરવામાં આવેલ મેગા ડીમોલેશન બેટ દ્વારકા, આરંભડા, દરિયાઇ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવ્યા બાદ દ્વારકા જિલ્લાનાં 7 ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો દુર કરવાનું મોટુ ઓપરેશન શ કરવામાં આવ્યું છે.
જેના ભાગપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે જેમાં પ્રવેશ પ્રતિબંધિત છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જે 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે . આ ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા , ધોરીયો ,ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવેલ છે.
તા.11 જાન્યુ.થી બેટ દ્વારકામાં મેગા ઓપરેશન શ કરવામાં આવ્યુ હતું. ગેરકાયદેસર બાંધકામ ધરાવનાર માલિકોને તંત્ર દ્વારા અગાઉ નોટીસો પાઠવવામાં આવી હતી. ત્યારબાદ તેમની સાથે બેઠક પણ કરાઇ હતી, ગેરકાયદેસર બાંધકામના મકાનમાલિકોને તંત્ર દ્વારા ઓખા ખાતે રહેવાની વ્યવસ્થા સુચા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારબાદ દ્વારકાના ક્ષ્મણી મંદિર, ખારા તળાવ તેમજ આરંભડાનાં દરિયાકિનારે આવેલ ગેરકાયદેસર ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ટ્રેઇની આઇએએસ અમોલ આવટેની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે જિલ્લાનાં 7 ટાપુઓમાં ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવેલ છે આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા ? તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech