મજીવાણાનું બાગાયતી પાક ઉત્કૃષ્ઠતા કેન્દ્ર ધરતીપુત્રો માટે બન્યું લાભદાયી

  • May 30, 2025 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના મજીવાણા ખાતે બાગાયતી પાક ઉત્કૃષ્ઠતા કેન્દ્ર ખેડુતો માટે ઉપયોગી બન્યું છે.
પોરબંદર જિલ્લામાં બાગાયત ખાતા હેઠળ કાર્યરત સી.ઓ.ઈ.મજીવાણા ખાતે ઉત્પાદિત થતા કલમ,રોપા,ધરૂ અને અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં નક્કી કરેલી નિયત મર્યાદામાં ખેડુતોને એટસોર્સ સહાય આપવામાં આવશે. 
આ એટસોર્સ સહાય સામાન્ય જાતિના ખેડુતોને નક્કી કરેલ ભાવના ૫૦% અથવા મહતમ ‚.૫૦૦૦ તથા અનુસુચિત જાતિના ખેડુતોને નક્કી કરેલ ભાવના ૭૫% અથવા મહતમ ‚.૭૫૦૦ ની મર્યાદામાં એટસોર્સ સહાય આપવામાં આવશે અને આ સહાય મેળવવા માટે બાગાયત ખાતાની "ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી સંચાલિત નર્સરીઓ અને સી.ઓ.ઈ ખાતેથી ઉત્પાદિત થતા કલમ,રોપા,ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખરીદી કરવાની રહેશે. અને લાભાર્થીએ નિયત નમુનામાં જરૂરી સાધનિક કાગળો સહિતની અરજી જે-તે નર્સરી, સી.ઓ.ઇના અધિકારી,કર્મચારી પાસે જમા કરાવવાની રહેશે.
ત્યારબાદ અરજી મુજબ કલમ,રોપા,ધરૂ,અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સ સંલગ્ન નર્સરી,સી.ઓ.ઈ ખાતેથી નિયમોનુસાર ખરીદ કરવાના રહેશે. અને બાગાયતી પાક ઉત્કૃષ્ઠત કેન્દ્ર, મજીવાણા ખાતેથી શાકભાજીના ધરૂ, જામફળી, કમલમ, નાળીયેરી જેવા ફળપાકોના રોપા મળશે તથા ખેડુતોના ઓર્ડર મુજબ શાકભાજીના ધ‚ તૈયાર કરી આપવામાં આવશે.
સહાયનો લાભ લેવા માગતા ખેડુતોએ અરજી સાથે ૭/૧૨ તથા ૮-અ નકલ,આધારકાર્ડ અથવા રેશનકાર્ડની નકલ,અનુ.જાતિ અને જનજાતિના પ્રમાણપત્રની નકલ (લાગુ પડતુ હોય તો),દિવ્યાંગનું પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તો) આપવાનું રહેશે અને વધુ વિગતો માટે મો.નં. ૮૨૩૮૯૪૭૧૪૬ અને ૬૩૫૫૬૩૨૬૬૭ તેમજ બાગાયતી પાક ઉત્કૃષ્ઠતા કેન્દ્ર, મજીવાણાનો સંપર્ક કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News