ભગવાન શ્રીકૃષ્ણએ ક્ષ્મણીજીનું અપહરણ કર્યુ ત્યારે રથને દોડાવ્યો હતો તે પરંપરા આજે પણ અકબંધ છે.
માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે કેટલીક પરંપરાઓ અને પુરાણોનો ઇતિહાસ જોડાયેલો છે.
ભગવાન શ્રી કૃષ્ણની જાનના રથ આજે પણ ઋષિતળ વિસ્તારમાં દોડા વવાની પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે ક્ષ્મણીનું હરણ કરીને રથને દોડાવવામાં આવ્યો હતો તેની ઝાંખી રજુ કરે છે.
માધવરાયજી મંદિર કુલગોર જનકભાઈ પુરોહિતે શ્રી કૃષ્ણની જાનના રથને ઋષિતળ વિસ્તારમાં દોડવવાની પરંપરા વિશે વાત કરતાં જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણને પત્ર દ્વારા માતા શ્રી ક્ષ્મણી તેમનું હરણ કરવા માટે જાણ કરે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સારથી સાથે માતા ક્ષ્મણીનું હજારો રાજાઓની ઉપસ્થિતિમાં માતા ક્ષ્મણીને રથમાં બેસાડી અને રથને પુરપાટ દોડાવામાં આવ્યો હતો આજે પણ આ પરંપરા અકબંધ છે. ભગવાન શ્રીકૃષ્ણની જાન નીકળે ત્યારે માધવપુરના ઝાપાથી ઋષિતળ વિસ્તારમાં આજે પણ રથને પુરપાટ ઝડપે દોડાવવામાં આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષ્મણી માતાનું હરણ કરવામાં આવ્યું હતું તે સ્વરૂપના દર્શન કરાવે છે. આ રીતે બે સંસ્કૃતિને એક તાંતણે બાંધતા આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગરિમાને અનુપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech