પોરબંદરના માધવપુર નજીક પાતાના ભાયાણી સીમ વિસ્તારમાં સિંહ-સિંહણ નજરે ચડ્યા છે જેથી વન વિભાગ ની ટીમ તપાસ માટે દોડી ગઈ છે. ૧૪૩ વર્ષ પછી કુદરતી રીતે બરડા ડુંગર તરફ આવેલ કોલંબસ સિંહ માધવપુર ની દરિયાઈ પટ્ટી ઉપર થઈને પોરબંદર આવ્યો હતો અને ત્યાંથી બરડા ડુંગરમાં ગયો હતો એ જ પરંપરા જાળવી રાખીને હજુ વધુ એક સિંહ સિંહણની જોડી દરિયાઈ પટ્ટી ઉપર થી માધવપુર પાસે પહોંચીને પાતાના ભાયાણી સીમ વિસ્તારના જંગલમાં જોવા મળી હતી. આ સમયસિંહનો માઇગ્રેશન સમય છે નવેમ્બર થી જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન સાવજો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઈગ્રેટ કરતા હોય છે. તેથી અગાઉ કોલંબસ સિંહ આ રીતે આવ્યા બાદ હવે તેના જ રસ્તા ઉપર ક્રમશ: સિંહ સિંહણ આવી રહ્યા છે અને પાતાના ભાયાણી સીમમાં નજરે ચડતા ખેડૂતો દ્વારા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ત્યાં તપાસ માટે દોડી ગઈ હતી આંતરિક વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે ગયા વર્ષે પણ આ સિંહ આ વિસ્તારમાં ડોકાયો હતો અને એ જ સિંહ હવે સિંહણને લઈને આ વર્ષે ઘેડ પંથકમાં જોવા મળ્યો છે ત્યારે જંગલ ખાતું તેના ઉપર પૂરેપૂરી વોચ ગોઠવીને બેઠું છે અને તેના પગના પંજાના નિશાનના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech