કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર, 7 ઓક્ટોબરના રોજ એક રીલિઝ જારી કરીને જણાવ્યું હતું કે 24 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસના અવસરે, તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ સાથે સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર 24 ઓક્ટોબર 2024ના રોજ તેની 76મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. જે સંદર્ભે ગૃહ મંત્રાલય દ્વારા જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.
આ ઇમારતો પર સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ નહીં લહેરાવવામાં આવે
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, 24 ઓક્ટોબરના રોજ, ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ધ્વજ વિશ્વભરના તમામ સરકારી વિભાગો અને દેશના દૂતાવાસો અને ઉચ્ચ કમિશન પર લહેરાશે, જ્યાં ભારતીય રાષ્ટ્રધ્વજ નિયમિતપણે લહેરાવાય છે પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં, ઉપરાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટ પર યુનાઈટેડ નેશન્સ ધ્વજ ફરકાવવામાં આવશે નહીં.
સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે અને શા માટે થઈ હતી?
બીજા વિશ્વ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. તે જ સમયે 1948 થી, 24 ઓક્ટોબરને સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યુએન ધ્વજ ફરકાવવાના નિયમો શું છે?
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 ના પેરા 3.36 મુજબ, "જ્યારે સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ સાથે લહેરાતો હોય, ત્યારે તેને રાષ્ટ્રીય ધ્વજની બંને બાજુએ મૂકી શકાય.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 7 ઓક્ટોબરે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિકાસ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને તમામ ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયોગોને સૂચના આપવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech